નિર્જળા એકાદશીનો વ્રત જયેષ્ઠ માસનાં શુક્લ પક્ષની એકાદશી તિથિ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી. આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનાં નજરે જોતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકાદશીનું વ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત થાય છે. આ એકાદશીનું વ્રત કરીને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઇએ. નિર્જળા એટલે કે આ વ્રત વગર જળ ગ્રહણ કર્યે અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે. જેથી આ વ્રત કઠિન તપ અને સાધના સમાન મહત્વ રાખે છે.
નિર્જળા એકાદશીનો વ્રત જયેષ્ઠ માસનાં શુક્લ પક્ષની એકાદશી તિથિ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશી વ્રતનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી. આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનાં નજરે જોતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકાદશીનું વ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત થાય છે. આ એકાદશીનું વ્રત કરીને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઇએ. આ દિવસે વિધિપૂર્વક જળ કળશનું દાન કરનારા લોકોને પૂરા વર્ષની એકાદશીઓનું ફળ મળે છે. આ પ્રકારે જે આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઇ જાય છે.
એકાદશી વ્રતનો ઇતિહાસઃ
એક વાર બહુભોજી ભીમસેને વ્યાસજીનાં મુખથી પ્રત્યેક એકાદશીએ નિરાહાર રહેવાનો નિયમ સાંભળીને વિનમ્ર ભાવથી નિવેદન કર્યુ કે, 'મહારાજ! મારાથી કોઇ વ્રત નહીં કરવામાં આવતું. દિવસભર મોટી તીવ્ર ક્ષુધા જ બની રહે છે. અતઃ આપ કોઇ આવો ઉપાય બતાવો કે જેનાં પ્રભાવથી સ્વતઃ સદ્ધતિ થઇ જાય.' ત્યારે વ્યાસજીએ કહ્યું કે, 'તમારા વર્ષભરની સંપૂર્ણ એકાદશી નહીં થઇ શકે તો માત્ર એક નિર્જળા કરી લો, આનાંથી વર્ષભરની એકાદશી કરવાનાં સમાન ફળ થઇ જશે.' ત્યારે ભીમે એવું જ કર્યુ અને સ્વર્ગે ગયા. જેથી આ એકાદશી 'ભીમસેની એકાદશી'નાં નામથી પણ ઓળખવામાં આવે છે.
નિર્જળા એકાદશીનું મહત્વઃ
નિર્જળા એટલે કે આ વ્રત વગર જળ ગ્રહણ કર્યે અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે. જેથી આ વ્રત કઠિન તપ અને સાધના સમાન મહત્વ રાખે છે. હિંદુ પંચાગ અનુસાર વૃષભ અને મિથુન સંક્રાતિની વચ્ચે શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી કહેવાય છે. આ વ્રતને ભીમસેન એકાદશી અથવા પાંડવ એકાદશીનાં નામથી પણ જાણવામાં આવે છે. એવી પૌરાણિક માન્યતા છે કે પાંચ પાંડવોમાં એક ભીમસેને આ વ્રતનું પાલન કર્યુ હતું અને વૈકુંઠ ગયા હતાં. જેથી આનું નામ ભીમસેની એકાદશી પણ થયું.
દિવસભર આ બાબતોનું રાખો ધ્યાનઃ 1. પવિત્રીકરણનાં સમયે જળ આચમન સિવાય આગામી દિવસ સુધી સૂર્યોદય સુધી પાણી નહીં પીવું. 2. દિવસભર ઓછું બોલવું અને શક્ય હોય તો મૌન રહેવાની કોશિશ કરો. 3. દિવસભર સુવું નહીં. 4. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. 5. જુઠ્ઠું ન બોલવું અને ગુસ્સો ન કરવો તેમજ વિવાદ પણ ન કરવો.