આવનારી 22 જાન્યુઆરીએ નિર્ભયાનાં ગુનેગારોને ફાંસી આપવામાં આવશે. આ નરાધમોને વ્યવસ્થાનાં ભાગ રૂપે જેલમાં કામ કર્યું હતું. જેનાં બદલામાં તેમને વળતર આપવામાં આવ્યું હતું. જાણો કયાં ગુનેગારે કેટલું કામ કર્યું અને તેને કેટલી કમાણી કરી છે...
મુકેશે કામ કરવાની ના પાડી હતી
વિનયે સૌથી વધારે વાર જેલનાં નિયમો તોડ્યા
ગુનેગારોએ 7 વર્ષમાં તિહાર જેલમાં રહીને 1.37 લાખની કમાણી કરી છે
7 વર્ષમાં કોણે કેટલી કમાણી કરી
આવનારી 22 જાન્યુઆરી નિર્ભયા ગેંગરેપ કેસ માટે બહું મહત્વની છે. આ દિવસે સવારે 7 વાગે નિર્ભયાનાં 4 ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવશે. મંગળવારે ગુનેગારોની છેલ્લી આશા પણ છુટી જશે. સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ પિટીશન પણ ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે હવે ફાંસીની તૈયારીઓ શરું થઈ ગઈ છે. ગુનેગારોને ફાંસી આપવા માટે જલ્લાદ 20 જાન્યુઆરીએ તિહાર જેલ પહોંચી જશે. બીજી તરફ આ ચારેય આરોપીઓએ જેલમાં રહીને 7 વર્ષમાં 1.37 લાખ રુપિયાની કમાણી કરી છે. જ્યારે તેઓને ફાંસી અપાશે ત્યારે તેમની આ કમાણી તેમનાં પરિવારને સોંપવામાં આવશે.
મુકેશની કમાણી કેમ શૂન્ય ?
નિર્ભયા કેસનાં ગુનેગારોએ 7 વર્ષમાં તિહાર જેલમાં રહીને 1.37 લાખની કમાણી કરી છે. વિનય, પવન અને અક્ષયએ કામ કરી હજારો રુપિયા કમાયા હતાં. જ્યારે મુકેશે કામ કરવાની ના પાડી દીધી હતી. જેથી તેણે એક પણ રુપિયાની કમાણી થઈ નથી.
અક્ષયે સૌથી ઓછી વાર જેલના નિયમ તોડ્યા અને સૌથી વધુ કમાણી કરી
તેમજ ચારેયે 23 વખત જેલનાં નિયમો તોડ્યાં છે. જેમાં વિનયે 11 વખત નિયમો તોડ્યા હતાં. તેથી તેને 11 વખત સજા આપવામાં આવી છે. અક્ષયને 1 વખત સજા આપવામાં આવી હતી. જ્યારે મુકેશને 3 વખત તેમજ પવનને 8 વખત નિયમ તોડવા બદલ સજા ફટકારવામાં આવી છે. જેલનાં સૂત્રોનાં જણાવ્યાનું સાર સૌથી ઓછી વખત નિયમ તોડી વધારે મહેનત કરનાર અક્ષયે રૂ 69 હજાર, વિનયે 39 હજાર તથા પવને 29 હજાર રુપિયાની કમાણી કરી છે.
આરોપીએ અભ્યાસ માટે એડમિશન તો લીધું પછી થયું આવું
ચાર વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2016માં 3 ગુનેગારોએ પવન, અક્ષય અને મુકેશે ધો. 10માં પ્રવેશ મેળવ્યો હતો. જોકે તેઓમાંથી એક પણ ગુનેગાર પરીક્ષામાં પાસ થયાં નહોતાં. બીજી તરફ વિનયે ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું હતું જોકે તેણે પણ તે અભ્યાસ અધૂરો મુક્યો હતો.