નિર્ભયાના ગુનેગાર વકીલ એપી સિંહ ગુરુવારે રાત સુપ્રીમ કોર્ટની બહાર માર ખાતા ખાતા બચ્યા. કેમ કે કોર્ટની બહાર એપી સિંહે નિર્ભયાના ચારિત્ર્ય પર આંગળી ચીંધી હતી.જેના કારણે લોકો તેમના પર ભડક્યા હતા. જાણો, એપી સિંહે શું કહ્યું હતુ.
એપી સિંહે નિર્ભયા અને તેની માતા માટે વાંધાજનક નિવેદન આપ્યું
એપી સિંહને લઈને તિહાર જેલની બહાર સૂત્રોચ્ચાર થયો
એપી સિંહની વાંધાજનક ટિપ્પણી બદલ લોકોએ માફીની માંગ કરી હતી
આ કારણે લોકોમાં આક્રોશ હતો
નિર્ભયાના ગુનેગારનોના વકીલ એપી સિંહે નિર્ભયના ચારિત્ર્ય પર આંગળી ચીંધી હતી. જેના કારણે કોર્ટની બહાર ઊભેલી ભીડ તેમને મારવા તૈયારી થઈ ગઈ હતી. બીજુ એ પણ હતું કે એપી સિંહે સતત 7 વર્ષ ગુનેગારોને ફાંસીથી બચાવાવ અનેક કાયદાકીય રસ્તાનો ઉપયોગ કરી સમય બરબાદ કર્યો હોવાના ભાવ સમાન્ય જનતામાં હતો. જેના કારણે પણ લોકોને આક્રોશ હતો. ફાંસી બાદ પણ તિહાર જેલની બહાર લોકો એપી સિંહની વાત કરી રહ્યા હતા.
શું કહ્યું હતું એપી સિંહે કે મહિલાઓ સહિત અનેક લોકોમાં તેમના માટે ગુસ્સો હતો
એપી સિંહે નિર્ભયાની માતા અને નિર્ભયા પર વાંધાજનક નિવેદન આપ્યું હતુ . એપી સિંહે કહ્યું હતું કે, ‘નિર્ભયાની માતાને નહોતી ખબર કે તેની દીકરી 12.30 વાગે ક્યાં હતી. એ બાદ સુપ્રીમ કોર્ટની બહાર હાજર લોકોએ તેમને ટોક્યા હતા. અને ટિપ્પણી કરવા બદલ માફી માંગવા કહ્યું હતુ. પરિસ્થિતીની ગંભીરતા સમજીને એપી સિંહ ત્યાંથી નિકળી ગયા હતા.
પાગલખાને જતા રહો એપી સિંહ
નિર્ભયા કેસમાં જે રીતે એપી સિંહે ગુનેગારોનો કેસ લડ્યા હોવાથી લોકો તેમનાથી ખૂબ નારાજ છે. તિહારની બહાર કેટલાય લોકો તેમની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા. એક શખ્સે કહ્યું કે હવે એપી સિહે પાગલખાને જતા રહેવું જોઈએ. તેમણે વકિલાત છોડી સન્યાસ લેવો જોઈએ. લોકો આક્રોશમાં આવી તેમનું શાબ્દિક અપમાન કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપી સિંહ એવું કહી શક્યા છે કે તે ન તો ઈશ્વર છે ન તો યમરાજ. તેઓ વકીલ છે. તેમના ક્લાઈન્ટ તેમની પાસે જે મદદ માંગશે તે પ્રમાણેની સલાહ અને કાયદાકીય હકો અપાવવાની તેમની ફરજ છે.