બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nirbhaya case mother asha devi statement nirbhaya divas tihar jail

દિલ્હી / ગુનેગારોને ફાંસી બાદ નિર્ભયાની માતાએ કહ્યું- માતા તરીકે મારો ધર્મ આજે પૂરો થયો

Last Updated: 08:03 AM, 20 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2012માં દિલ્હીમાં નરાધમોની હેવાનિયતનો શિકાર બનેલી નિર્ભયાને આજે સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. તમામ કાયદાકીય દાવપેચ બાદ પણ નિર્ભયાના ગુનેગારોની ફાંસી ટાળવામાં સફળતા ન મળી. નિર્ભયાના ગુનેગારોને અંતે ફાંસીને માચડે લટકાવી દેવાયા છે. ગુનેગારોને ફાંસી અપાયા બાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે આજે તેમને ન્યાય મળ્યો છે, પરંતુ તેમની લડાઇ ચાલુ રહેશે.

  • નિર્ભયાના ચારેય દોષિતોને આપવામાં આવી ફાંસી
  • તિહાર જેલમાં ફાંસી પર લટકાવવામાં આવ્યા
  • 20 માર્ચને નિર્ભયા દિવસ તરીકે મનાવવામાં આવશે

આશા દેવીએ કહ્યું કે અમારા સાત વર્ષનો જે સંઘર્ષ છે, તે આજે કામ આવ્યો છે. પ્રથમ વખત દેશમાં ચાર લોકોને એક સાથે ફાંસીના માચડે લટકાવવામાં આવ્યા છે, ભલે મોડો પણ ન્યાય જરૂર મળ્યો છે. આના માટે દેશની સરકાર, રાષ્ટ્રપતિ અને કોર્ટોનો આભાર. અમારી દીકરી સાથે જે થયું તેનાથી સમગ્ર દેશ શર્મસાર થયો હતો પરંતુ હવે જ્યારે આ ગુનેગારોને ફાંસી આપવામાં આવી છે, તો બીજી દીકરીઓને પણ ન્યાય મળવાની આશા જાગી છે.

શું કહ્યું નિર્ભયાની માતાએ?

આ નિર્ણય પર નિર્ભયાની માં આશા દેવીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે સાત વર્ષનો સંઘર્ષ આજે પૂરો થઇ રહ્યો છે. નિર્ભયાની માંએ કહ્યું કે તેઓ 20 માર્ચે નિર્ભયા દિવસના રૂપમાં મનાવવામાં આવશે.

ચુકાદા બાદ નિર્ભયાની માં આશા દેવીએ કહ્યું કે 7 વર્ષ બાદ આખરે અમને ન્યાય મળ્યો છે, દેશના લોકોએ નિર્ભયા માટે લડાઈ લડી છે. આશા દેવીએ કહ્યું કે 20 માર્ચનો દિવસ નિર્ભયાના નામ, દેશની દીકરીઓના નામ પર યાદ આવશે.

વધુમાં તેમણે કહ્યું કે મોડું થયું પરંતુ સારૂ થયું. અમે છેલ્લા સાત વર્ષમાં નિર્ભયાથી અલગ નથી થયા, દરેક પળ અમને તેનું દુઃખ અનુભવાતું હતું.

તેમણે કહ્યું કે, નિર્ભયાનું દુઃખ જ અમારો સંઘર્ષ બન્યો અને ન્યાય માટે અમે લડાઇ લડી. આશા દેવીએ કહ્યું કે 20 માર્ચે તેઓ નિર્ભાય દિવસ તરીકે મનાવશે.

દેશમાં સિસ્ટમ બદલવાની જરૂરઃ નિર્ભયાનો વકીલ

નિર્ભયાના વકીલે કહ્યું કે આજે અમને ન્યાય મળ્યો છે, જે પ્રકારે ગુનેગારોને નિર્ભયાની સાથે બર્બરતા કરી હતી તેમને ફાંસી આપવાની જરૂર હતી. વકીલે કહ્યું કે દેશની સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે ન્યાય માટે જો સાત વર્ષ સુધી રાહ જોવી પડે તો તે દુઃખ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

asha devi delhi nirbhaya case દુષ્કર્મ નિર્ભયા કેસ ફાંસી Nirbhaya Case
Hiren
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ