નિદાહાસ ટ્રોફીની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન બની ગઇ. ટીમ ઇન્ડિયાની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ પણ યોગદાન મહત્વનું હતું પરંતુ મેચ પછી તેણે જે કર્યું તેની ચર્ચા હાલમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ થઇ રહી છે. વાસ્તવમાં મેચ પૂરી થયા બાદ રોહિત શર્મા શ્રીલંકાના ઝંડાની સાથે ગ્રાઉન્ડ પર ફર્યો હતો તેણે ફેન્સને સ્પોર્ટ્સમેનશિપની ભાવના બતાવી જોકે ટીમ ઇન્ડિયાની પાસે ભારતીય તિરંગો હતો.
કેમ શ્રીલંકાનો ઝંડો લઇને ફર્યો કેપ્ટન શર્મા?
મોટાભાગે જોવા મળે છે કે કોઈપણ ટીમ સિરીઝ અથવા મોટી ટૂર્નામેન્ટ જીત્યા બાદ પોતાના દેશનો ઝંડો લઈને મેદાનમાં ચક્કર લગાવે છે. પરંતુ ટીમ ઈન્ડિયા પાસે તિરંગાની સાથે- સાથે શ્રીલંકાનો ઝંડો પણ હતો. સૂત્રોનુસાર રોહિત શ્રીલંકાના ફેન્સનો આભાર વ્યક્ત કરવા માટે આવું કર્યું હતું.
આ હતું કારણ:
વાસ્તવમાં બાંગ્લાદેશી ટીમ શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી બંને વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં તણાવનું દ્રશ્ય પણ સર્જાયું હતું જેના કારણે શ્રીલંકાના ફેન્સ બાંગ્લાદેશની વિરુદ્ધ હતા. એવામાં શ્રીલંકાના ક્રિકેટ પ્રેમીઓએ ફાઈનલમાં ટીમ ઇન્ડિયાનું જોરદાર સમર્થન કર્યું. ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં શ્રીલંકાની ઓડિયન્સ હતી જેણે ટીમ ઇન્ડિયાને સમર્થન કર્યું હતુ.
1998માં પહેલીવાર નિદાહાસ ટ્રોફીનું આયોજન કરાયું:
નિદાહાસ ટ્રોફીનું આયોજન શ્રીલંકાની આઝાદીની 70મી વર્ષગાંઠ પર કરવામાં આવ્યું હતું. આ પહેલા આ સિરીઝ 1998માં રમાઈ હતી. ત્યારે ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને 6 રનથી હરાવ્યું હતું.