NHAI અનેક ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. મોદી સરકારની આ યોજનાથી જો તમારી જમીન હાઈ-વેની નજીક છે તો તમને મોટો ફાયદો થઈ શકે છે.
મોદી સરકાર કરી રહી છે મોટી તૈયારી
NHAIની અનેક ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના
જમીન હાઈ-વે નજીક છે તો તમારા નસીબ ખૂલી ગયા સમજો
ભારતીય રાષ્ટ્રિય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજનાથી ભારતમાં આવનારા દિવસોમાં ઈલેક્ટ્રિક વાહનને વેગ મળશે અને સાથે ઈવી ચાર્જિંગ સ્ટેશનના સિવાય પણ અન્ય બુનિયાદી વ્યવસ્થાને વેગ મળશે. રાષ્ટ્રિય રાજમાર્ગોની સાથે સાથે રેસ્તરાં, ફૂડ કોર્ટ, રિટલ આઉટલેટ જેવા સ્થાનોની પણ યોજના બનાવી છે. આ સાથે NHAIએ રાજમાર્ગને વિકસિત કરવા માટે 3000 હેક્ટરથી પણ વધારે સંયુક્ત ક્ષેત્રની સાથે 22 રાજ્યોમાં 650થી વધારે જગ્યાની ઓળખ કરી છે. જ્યારે આવનારા 5 વર્ષોમાં NHAI વિકાસ કાર્યક્રમની શરૂઆત કરશે.
આટલી જગ્યાઓની પસંદગી કરાઈ છે
આ યોજનાના આધારે આગામી દિલ્હી - મુંબઈ એક્સપ્રેસવેની સાથે 94 સાઈટની પસંદગી કરાઈ છે. નવા રાજમાર્ગો અને નિર્માણાધીન એક્સપ્રેસ વેની સાથે 376 સાઈટ અને દેશમાં રાજમાર્ગોના હાલના નેટવર્કની સાથે લગભગ 180 સાઈટની ઓળખ કરાઈ છે. હાઈવે નેટવર્ક માટે વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત સેવાઓ આપવા માટે પણ સરકારના ફોકસથી સારું રિટર્ન મળવાની આશા છે.
શા માટે જરૂરી છે ઈવી ચાર્જિંગ સ્ટેશન ?
રાષ્ટ્રીય રાજમાર્ગોના કિનારે ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવવાથી ભારતમાં ઈલેક્ટ્રોનિક વાહન માલિકોને મોટી મદદ મળી રહેશે. જે ખાસ કરીને લાંબા અંતરની યાત્રા માટે બેટરીથી ચાલનારી કારને લઈને પરેશાન રહે છે. હાલમાં ઈવી માલિકોની જરૂરિયાતને પૂરી કરવા માટે રાજમાર્ગોના કિનારે ખૂબ જ ઓછા ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવાયા છે.
શું છે ઈવી ચાર્જિંગ સ્ટેશનના લાભ ?
રાષ્ટ્રીય રાજમાર્ગો પર ઈવી ચાર્જિંગ સ્ટેશન બનવાથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનને વધારવામાં મદદ મળવાની શકયતા છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ હાલમાં જ કહ્યું હતું કે ભારત જલ્દી દુનિયામાં ઈલેક્ટ્રિક વાહનોના સૌથી મોટા વિનિર્માણનું કેન્દ્ર હશે. ભારતનું લક્ષ્ય દશકના અંત સુધી દરેક વાણિજ્યિક કારના 70 ટકા, ખાનગી કારના 30 ટકા, બસના 40 ટકા અને ટુવ્હીલરના 80 ટકા ઈલેક્ટ્રિક થવાનું છે.