કડક પ્રતિબંધોને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે આ 10 દિવસમાં સાવધાની રાખવી ખુબ જરુરી છે અને જો આવું કરાશે તો કોરોનાના કેસોમાં ઘણો મોટો ઘટાડો આવશે. કોવિડ ટાસ્ફ ફોર્સના સભ્ય ડો.ગૌતમ ભણસાળીએ જણાવ્યું કે આ એક રાહતભરી ખબર છે. કડક પ્રતિબંધોને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે.
આગામી 10 દિવસ માટે મુંબઈગરા માટે ખુબ મહત્વના
કાકાણીએ જણાવ્યું કે નવા કેસોની સંખ્યાની સ્થિરતા જોતા લાગી રહ્યું છે કે કોરોના પીક પર છે અને આગામી 10 દિવસ માટે મુંબઈગરા માટે ખુબ મહત્વના છે. આ 10 દિવસમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ શકે છે.
કોરોના પીક પર છે પરંતુ આગામી બે અઠવાડિયા ઘણા પડકારજનક છે
ડેથ રિવ્યુ કમિટિના પ્રમુખ ડો. અવિનાશ સુપેએ જણાવ્યું કે હાલના આંકડા જોતા લાગી રહ્યું છે કે કોરોના પીક પર છે પરંતુ આગામી બે અઠવાડિયા ઘણા પડકારજનક છે. નિયમોનું પાલન કરાશે તો 10 થી 15 દિવસમાં કેસોમાં ઘટાડો આવી શકે છે. તેમણે કહ્યું કે બધું જેમ છે તેમ ચાલું રહ્યું તો થોડા વખતમા સકારાત્મક પરિણામો મળશે. ગુલેરિયાએ કહ્યું કે કોઈ પણ વેક્સિન 100 ટકા સુરક્ષા આપી શકતી નથી. બની શકે કે વેક્સિન લીધા બાદ પણ કોરોનાનો ચેપ લાગી શકે. પરંતુ વેક્સિન લીધા પછી શરીરમાં રહેલી એન્ટીબોડી વાયરસની સામે રક્ષણ આપી શકે છે અને વ્યક્તિની હાલત ગંભીર થતા અટકાવી શકે છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63,729 નવા કેસ નોંધાયા છે અને ઉત્તરપ્રદેશમાં 27,360 નવા કેસ. દિલ્હીમાં 19,486 નવા કેસ નોંધાયા છે. જ્યારે છત્તીસગઢમાં 14,912 નવા કેસ અને કર્ણાટકમાં 14,859 નવા કેસ નોંધાયા છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો ગુજરાતમાં 8920 નવા કેસ નોંધાયા અને 94 દર્દીઓના મોત થયા છે.દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 2,34,692 નવા કેસ નોંધાયા છે અને 1341 લોકોના મોત થયા છે. જ્યારે નવા 1,23,354 દર્દીઓ સાજા થયા છે. આમ, દેશમાં કુલ કેસ 1,45,26,609 પર પહોંચ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,26,71,220 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ 16,79,740 એક્ટિવ કેસ છે અને 1,75,649 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ 11,99,37,641 વેક્સિનના ડોઝ અપાઇ ચૂક્યા છે.