90ની દાયકામાં તત્કાલીન પ્રધાનમંત્રી પી.વી.નરસિમ્હા રાવની સાથે નજીકના સંબંધોથી ચર્ચામાં રહેતા તાંત્રિક ચંદ્રાસ્વામીનું નિધન થયુ છે તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર રહેતા તેમના ભક્તોમાં દેશ-વિદેશના અનેક નેતા ફિલ્મ અને ઉદ્યોગ જગતની હસ્તિઓનો સમાવેશ થયા છે.
1948માં જન્મેલ ચંદ્રાસ્વામીનું અસલી નામ નેમિચંદ હતું. જૈન સમુદાય સાથે સંબંધ રાખનાર નેમિચંદ નાનપણમાં જ પિતા સાથે હૈદરાબાદ ચાલ્યા ગયા હતા. તે ઇન્દિરા ગાંધીના જમાનાથી દિલ્હીના રાજનીતિક પાર્ટીઓમાં પોતાનો ડેરો જમાવવામાં સફળ નિવડ્યા હતા. તેમની દિલ્હી આશ્રમની જમીન પણ ઇન્દિરા ગાંધીએ જ દાન કરી હતી.
એવું જણાવાય રહ્યું છે કે પૂર્વ વિદેશમંત્રી નટવર સિંહ 1975માં જ્યારે બ્રિટનમાં ભારતના ઉપઉચ્ચાયુક્ત હતા ત્યારે એકવાર ચંદ્રાસ્વામી તેમને મળવા ઇન્ડિયા હાઉસ પહોંચ્યા હતા. ત્યારબાદ નટવર સિંહે તે સમય દરમિયાન ચંદ્રાસ્વામીની માર્ગરેટ થૈચર સાથે મુલાકાત કરવાની જુંબેશ ઉઠાવી. થૈચરે મુલાકાત દરમિયાન ચંદ્રાસ્વામીને પૂછ્યું કે તેઓ પ્રધાનમંત્રી ક્યારે બનશે? ચંદ્રાસ્વામીએ જવાબ આપ્યો કે ત્રણથી ચારર વર્ષમાં. તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઇ હતી.