યૂપી સહિત ચાર રાજ્યોમાં સત્તા મેળવ્યા બાદ ભાજપનું પલડું ભારે બન્યું છે. બીજી તરફ મોદી સરકાર ટૂંક સમયમાં જ પોતાના ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. ત્યારે આગામી સમયમાં જ મોદી કેબિનેટમાં પણ મોટા ફેરબદલનાં એંધાણ વર્તાઈ રહ્યા છે.
કેબિનેટમાં ફેરબદલ ?
મોદી કેબિનેટમાં ફેરબદલના અણસાર
બજેટ સત્ર બાદ કેબિનેટમાં થઈ શકે છે ફેરફાર
યૂપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહમાં છે. પીએમ મોદીએ આ તમામ રાજ્યોમાં પોતાના ખાસ વિશ્વાસુ લોકોની પસંદગી પણ કરી છે. ત્યારે મોદી કેબિનેટમાં પણ ટૂંક સમયમાં જ ફેરબદલી થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે અને આ ફેરફાર 12 એપ્રિલના સંસદ સત્ર બાદ થવાના અણસાર છે.
કેબિનેટમાં ફેરબદલ ?
મોદી કેબિનેટમાં નવા ચહેરાને મળી શકે સ્થાન
જેટલી પર રક્ષામંત્રાલયની જવાબદારીનો ભાર
દેવેદ્ર ફડણવીસ બની શકે છે રક્ષામંત્રી
યુપી માટે રાજનાથસિંહનું નામ ચર્ચામાં
જેટલીને ગૃહમંત્રાલય સોંપાઈ શકે
મહત્વનું છે કે જો કેબિનેટમાં ફેરબદલ થાય તો કેટલાક નવા ચહેરાઓને પણ મોદી સરકારમાં સ્થાન મળી શકે છે. મનોહર પર્રિકરે ગોવાની ગાદી સંભાડતા નાણામંત્રી અરૂણ જેટલી પર રક્ષા મંત્રાલયની જીમ્મેદારી આવી ગઈ છે. તો રક્ષામંત્રીની જવાબદારી માટે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ સામે આવી રહ્યું છે. આ સિવાય યુપી સીએમ માટે જો રાજનાથસિંહનું નામ સામે આવે છે તો અરૂણ જેટલીને ગૃહમંત્રાલય સોપવામાં આવી શકે છે. અને નામા મંત્રાલય પછી નવો ચહેરો આવી શકે છે તો આ માટે ઉર્જા મંત્રી પીયૂષ ગોયલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
યુપીમાં ઐતિહાસિક જીત બાગ પીએમ મોદીનું ફોકસ ગુજરાત પર છે. એક તરફ મોદી સરકાર પોતાના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. જ્યારે બીજી તરફ નવા ચહેરાઓને સ્થાન આપીને ગૃહમંત્રાલયને પણ મજબૂત કરવા માગે છે.