રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આજે ધીરાણ નીતિ રજૂ કરશે. RBI વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરે તેવી સંભાવના છે. કારણ કે કેન્દ્ર સરકારે બજેટમાં નાણાકીય શિસ્ત પર ભાર મુકયો છે. અને મોંઘવારી દર પણ કાબુમાં છે. જેથી એવી આશા વ્યકત થઈ રહી છે કે વ્યાજદરમાં ઘટાડો થઈ શકે.
પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયા પછીના સપ્તાહમાં જ એટલે કે આજે ધીરાણ નીતિ રજૂ થઈ રહી છે. આર્થિક નિષ્ણાતોના મતે નાણાકીય ખાઘને કાબૂમાં રાખવાનો પ્રયત્ન મોંઘવારી દરમાં ઘટાડો અને ઈકોનોમિક ગ્રોથ વધે તે માટે RBIએ વ્યાજ દરમાં ઘટાડો કરવો જોઈએ.
તેમજ કેન્દ્ર સરકારે બજેટમાં જે રીતે જોગવાઈઓ રજૂ કરી છે તે જોતા સરકાર ઈચ્છી રહી છે કે તમામ વર્ગોનો વિકાસ થાય.
RBI ધીરાણ નીતિની સમીક્ષા કરશે
વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવના
RBI 0.25 ટકા ઘટાડી શકે છે વ્યાજદર
મોનિટરી પોલિસીની આજથી બે દિવસીય બેઠક
આજે નક્કી થશે RBIના વ્યાજદર
RBI ધીરાણ નીતિની સમીક્ષા કરશે
RBI સસ્તા લોનની ભેટ આપી તેવી શક્યતા
બજેટમાં ઉઠાવવામાં આવેલા પગલાંને લઇને લેવાશે નિર્ણય