વડાપ્રધાન નરેદ્ર મોદીની વિદેશ યાત્રા રંગ લાવતી હોય તેવું લાગી રહ્યું છે. પીએમની વિદેશ યાત્રા બાદ એનએસજીમાં મેમ્બરશીપ મેળવવાનો રસ્તો સાફ થઇ રહ્યો છે. તો અન્ય દેશો સાથે ભારતના સંબંધોમાં સુધાર આવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.
નવાઝ સરકારથી નારાજ સેના
મોદીની વિદેશ નીતિથી વધી પાકની ચિંતા
તો પાક-ભારતના સુધરતા સંબંધો પાક સેનાને નથી મંજૂર
વડાપ્રધાન નરેદ્ર મોદી સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાન સરકાર અને ભારતના સંબંધોમાં સુધાર આવ્યો છે. અને બન્ને દેશો વચ્ચેના સારા સંબંધો પાક સેનાના રાસ નથી આવી રહ્યા.. અને એટલે જ પાક સેનાએ ગૃહમંત્રીને છોડીને સમગ્ર કેબિનેટને પોતાના હેડ~વાર્ટરમાં આમંત્રણ આપ્યું. અને થોડા સમયથી સેનાનું સરકારની પોલિસી મેશકગમાં ધ્યાન આપવાનું વધી ગયું છે.
રાવલપિંડીના ગેરિસન સિટીમાં મિટીંગ
મીશટગમાં આર્મી ઓફિસરો રહ્યા હાજર
ગત સપ્તાહે રાવલપિંડીની ગેરિસન સિટીમાં ઈન્ટિરિયર મિનિસ્ટરને બાદ કરતાં સમગ્ર પાક. કેબિનેટની મિટિંગ થઈ હતી. આ મિટિંગ મિલિટરીના જનરલ હેડવાર્ટરમાં ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. મિટિંગમાં આર્મીના ઉચ્ચકક્ષાના ઓફિસર હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે મિટિંગનો ધ્યેય સરકારી નિર્ણયોમાં મિટિટરીના દબદબાને દર્શાવવાનો હતો. મિટિંગમાં ફોરેન અને સિકયુરિટી રિલેટેડ પોલિસી પર ચર્ચા કરવામાં આવી હતી.
પાકની ફોરેન પોલિસમાં બદલાવ
અફઘાન-ઇરાન સાથે પાકના સંબંધો નથી સારા
ફોરેન રિલેશનને લઈને પણ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે. તો પઠાનકોટ હુમલા બાદથી ભારત સાથે તેના ડિપ્લોમેટિક રિલેશન તણાવભર્યા છે. ન્યૂકિલયર સપ્લાયર ગ્રૂપ મેંબરશિપને લઈને અમેરિકા પણ ભારતને ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યું છે. અફઘાનિસ્તાન-ઈરાન તરફથી પણ પાકિસ્તાનના સંબંધો વર્ષોથી ખરાબ છે.
ભારતની સ્થિતિને લઈને પાકિસ્તાનમાં ચિંતા
અન્ય દેશો સાથે સુધરી રહ્યા છે ભારતના સંબંધો
ભારતની વિદેશ નીતિ પાકમાં ચર્ચામાં
થોડા સમય પહેલા જ મોદીએ અમેરિકા સહિત 5 દેશોનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાનમાં ભારત અને તેની વિદેશ નીતિની વધતી અસરને લઈને ખુબ જ ચર્ચા ચાલી રહીં છે. જેના કારણે પાકિસ્તાનના મિલિટરી ઓફિસર પોતાની ફોરેન પોલિસીને નિષ્ફળ ગણાવી રહ્યાં છે.