વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા થઈ છે. ડભોઇના વૈષ્ણવ સમાજના શેઠ પરિવારના 55 વર્ષીય પ્રદીપકુમાર શેઠની ગોળી મારીને ન્યુજર્સીમાં હત્યા કરી દેવાઈ.
ડભોઇ ના જારોલા વાગાના વૈષ્ણવ સમાજ શેઠ પરીવારના 55 વર્ષીય પ્રદીપકુમાર વલ્લભદાસ શેઠ વર્ષ 1992 થી અમેરીકાના ન્યુજર્સી રહેતા હતા અને પર્લીન ના મુખ્ય રસ્તા ઉપર આવેલા સ્ટોલ મા ફરજ બજાવતા હતા.
આજ થી પાંચ વર્ષ આગાઉ પણ તેમની ઉપર સ્ટોલમાં ઘુસી ને હુમલો કરાયો હતો પરંતુ સદ નસીબે ભાગી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ફરી એક વાર તેમના પર હુમલો કરાયો જેમાં તેમનું મોત થયુ છે.
પ્રદીપભાઈ પોતાની પત્નીને જોબ પર મુકીને પોતાના ઘરે પરત આવ્યા હતા બાદમાં નીગ્રોએ અચાનક ઘર મા ઘુસી આવીને તેમના પર બંધુક થી ફાયરીંગ કરી નાસી છુટયા હતા.