ગુજરાતમાં 8થી 10 આતંકવાદી ઘુસ્યા છે જે લોકો રાજ્યમાં મોટો હુમલો કરે તેવી આશંકાના પગલે ગુજરાતના તમામ દરિયાઇ વિસ્તારની સુરક્ષામાં વધારો કરવાનું સુચન કરવામાં આવ્યુ છે. આતંકી હુમલાની આશંકાને પગલે ગુપ્તચર એજન્સી આઈબીએ એલર્ટ જાહેર કર્યા છે.
આઈબીના એલર્ટ બાદ દેશની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આઈબીએ જાહેર કરેલા એલર્ટમાં સોમનાથ મંદિરને પણ ટાર્ગેટ બનાવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા સુચન કરાયુ છે. ખાસ કરીને જખો માંડવી અને મરીન બંદરોની સુરક્ષામા વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત મરીન પોલીસને પણ પેટ્રોલીંગ સઘન બનાવવા સુચન કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે આજે કચ્છ દરિયાઇ સીમામાંથી વધુ એક પાકિસ્તાની બોટ મળી આવી છે. બીઐસએફ જવાનો પેટ્રોશલગ કરતા હતા તે દરમિયાન બિનવારસી બોટ મળી આવી હતી. બોટની તપાસ કરતા કોઇ પણ શંકસપદ વસ્તુઓ મળી આવી નથી. ફકત માછીમારોની સામગ્રી મળી આવી છે. સરક્રીક વિસ્તારમાંથી બીએસએફએ બોટને ઝડપી પાડી છે.
નોંધનીય છે કે કચ્છ દરિયાઈ જળસીમા સુરક્ષા લઈને અતિસંવેદનશીલ માનવામાં આવે છે. ત્યારે છેલ્લા થોડા દિવસ સતત પાકિસ્તાની બિનવારસુ બોટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં કચ્છ દરિયાઈ જળસીમા 10 જેટલી પાકિસ્તાની બિન વારસી બોટ મળી આવતા દેશની સુરક્ષા લઈને અનેક સવાલો ઉભા થયા છે. હાલ બીએસએફ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાની બોટ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.