NDA સરકારનો એક મહિનો પૂરો થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગ લખ્યો છે બ્લોગમાં મોદીએ સ્નેહ તથા સમર્થન બદલ જનતાનો આભાર માન્યો છે. તો સાથે જ સરકાર પર થઈ રહેલી ટીકાઓ પર ચૂપ્પી પણ તોડી છે.
મોદીએ બ્લોગમાં લખ્યું છે કે `અમારી સરકારે એક મહિનો પૂરો કર્યો છે આ દરમિયાન લોકોનો સ્નેહ તથા સમર્થને અમને સખત મહેનત કરવાની પ્રેરણા આપી છે.ગત 67 વર્ષની તુલના એક મહિના સાથે ક્યારેય ન કરી શકાય પરંતુ એટલું જરૂર કહીશ કે ગત એક મહિનાની એક-એક પળ અમે લોકોની સેવામાં સમર્પિત કરી છે. ભાજપ સરકારે દરેક નિર્ણય દેશહિતને ધ્યાનમાં રાખીને કર્યો છે. ગત મહિને અમે કાર્યભાર સંભાળ્યો તો મને હંમેશા લાગતું હતું કે હું આ સ્થાન માટે નવો છું. લોકો સમજતાં હતા કે મારે કેદ્ર સરકારનું કામ સમજતાં એકથી બે વર્ષ નીકળી જશે. લોકોના સહયોગથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે આ તમામ મારા મંત્રીમંડળના અનુભવી સાથીઓ તથા મારા ચાર વખતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળના અનુભવથી થયું છે. લોકોનો સ્નેહ તથા અધિકારીઓના સમર્થનથી મારો આત્મવિશ્વાસ અનેક ગણો વધી ગયો છે. ગત કેટલાક દિવસોમાં મે તમામ વિભાગના મંત્રીઓ તથા અધિકારીઓને મળી રહ્યો છું મારા સમક્ષ કેટલાક સારી સલાહો અને સૂચનો આવ્યા છે.મને એવું લાગી રહ્યું છે કે કેટલીક વાતો એવી છે જેમાં ખરેખર સુધાર કરવાની જરૂરિયાત છે.દિલ્હીમાં મને એક પડકાર એ પણ મળી રહ્યો છે કે અમે સરકારની અંદર તથા સરકાર બહાર પોતાની નિયત તથા દેશમાં બદલાવની ઈમાનદાર કોશિશો વિશે સતત કહેવું પડી રહ્યું છે.ગત દિવસોમાં જે થયું તેનો સંબંધ સરકાર સાથે ખરેખર ન હતો છતાં પણ વિવાદો થયાં. હું કોઈ પર આરોપ લગાવવા નથી માગતો પરંતુ આપણે એવી મજબૂત સિસ્ટમ ઉભી કરવી પડશે જેનાથી સાચી વાતો સાચા લોકોને સાચા સમય પર જણાવવામાં આવે.મને આશા છે કે બદલાવ જરૂર આવશે.નવી નવેલી સરકારના શરૂઆતી સમયને મીડિયાના લોકો હનીમૂન પીરિયડ કહેતા હોય છે.ગત સરકારોએ આ હનીમૂન પીરિયડ સો દિવસો બાદ પણ ભોગવ્યો છે પરંતુ જેવી આશા હતી તે પ્રમાણે મારી પાસે આવી કોઈ લકઝરી નથી.સો દિવસ તો ભૂલો આરોપોની શરૂઆત તો સો કલાકમાં જ થઈ ચૂકી હતી.પરંતુ જ્યારે કોઈ પૂરી નિષ્ઠા સાથે દેશસેવા કરે છે તો આ તમામ વસ્તુઓનું કોઈ સ્થાન નથી.આજ કારણ છે કે હું કામ કરતો રહ્યો છું અને કામથી જ મને સૌથી વધુ સંતોષ મળે છે'