ફરી એકવાર દિલ્હીમાં 25 જેટલા ખેડૂત સંગઠનોના નેતાઓએ આજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર મળીને અને નવા કૃષિ કાયદાના સમર્થનમાં સમર્થન પત્ર આપ્યું હતું અને કાયદાઓને ચાલુ રાખવાની માંગણી કરી હતી. આ દરમિયાન કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે આ ખેડૂતોના સમર્થન અને સમજદારીથી આ કાયદાઓ ચાલુ રાખવામાં આવશે અને અન્ય ખેડૂતોને મળશે.
ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર માટે રાહતના સમાચાર
કૃષિ પ્રધાનને 25 ખેડૂત સંગઠનોએ મળી નવા કાયદાને ટેકો આપ્યો
અમારી ચર્ચા લોકતાંત્રિક માળખા હેઠળ ચર્ચા માટે તૈયાર : કૃષિમંત્રી તોમર
કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે ખેડૂત નેતાઓને મળેલા સમર્થનનું વર્ણન કરતાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે તમારા સમર્થનથી, સકારાત્મક વલણ અને સમજદારીથી આ કાયદાઓ લાગુ કરવામાં આવશે અને હવે અમે અન્ય ખેડૂતોને ટે સમજાવવામાં સફળ રહીશું. તેમણે વધુમાં કહ્યું કે આ કાયદાઓથી નવો રસ્તો ઉભો થશે અને ભારતની કૃષિ સમૃધ્ધ થશે.મહત્વનું છે કે કૃષિ મંત્રી Confederation of NGOs of Rural Indiaને લગતા એક કાર્યક્રમમાં આ વાત કરી હતી.
I am confident that with your support, positive attitude, and understanding these laws will be implemented & we will succeed in explaining to the farmers. A new path will be created & India's agriculture will prosper: Union Agriculture Minister Narendra Singh Tomar #FarmLawshttps://t.co/StRxTNR5G2pic.twitter.com/nu3HGNnqBA
"અગાઉની સરકારો દબાણ અને પ્રભાવને કારણે કાયદા લાગૂ ન થયા'
તોમરે કહ્યું, "અહીં ત્રણ કૃષિ કાયદાઓ ના સમર્થનમાં અનેક કૃષિ સંગઠનોનું આયોજન કરીને ભારત સરકાર તરફથી આપેલા સમર્થન માટે હું ભારત સરકાર વતી તમારા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું." વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું હતું કે અમારી સરકાર લોકતાંત્રિક માળખા હેઠળ ચર્ચા કરવા માટે હંમેશા તૈયાર છે અને અમને વિશ્વાસ છે કે અમે આ મુદ્દાનું સમાધાન શોધવામાં સફળ રહીશું.
કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે આપણી પાસે ઘઉં, ડાંગર, તેલીબિયાંનો અભાવ હતો. દેશની વસ્તી વધી રહી હતી, પરંતુ અમે અછત સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. તે સમયની સરકાર, ખેડૂત સંગઠનો અને વૈજ્ઞાનિકોએ દેશમાં ઉત્પાદન વધારવાનો પ્રયાસ કર્યો. હવે આપણે ઉત્પાદનમાં સરપ્લસની સ્થિતિમાં છીએ.
During UPA govt, Manmohan Singh ji & Sharad Pawar ji wanted to bring #FarmLaws but they could not stand pressure & influence. We're fortunate that today Modi ji is our PM who works selflessly for development of country & welfare of people: Union Agriculture Min Narendra S Tomar pic.twitter.com/joPQzFVYTP
અગાઉની સરકાર અને વિપક્ષી નેતાઓ અંગે નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, ખૂબ જ દુ:ખની વાત એ છે કે યુપીએ દરમિયાન શરદ પવારજી પણ ઇચ્છતા હતા કે આ કાયદો બને, પરંતુ દબાણ અને પ્રભાવનો સામનો ન કરી શક્યા. પરિણામે, તેઓ આ કાયદા બનાવવાની ખ્યાતિ મેળવી શક્યા નહીં. " તેમણે વધુમાં કહ્યું કે, અમારું ભાગ્ય છે કે આજે મોદીજી આપણા વડા પ્રધાન છે, જે દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે નિ:સ્વાર્થ કામ કરે છે.