ભારત વિરુધ્ધ રમાનારી પાંચ વન ડે શ્રેણીની પ્રથમ ત્રણ વન ડે મેચ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ 14 સભ્યોની ટીમમાં સ્પિનર મિચેલ સેન્ટનર સહિત ટોમ લાથમ અને કોલિન ડી ગ્રેન્ડહામની ટીમમાં વાપસી થઇ છે. જ્યારે શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર જીમી નીશમ ઇજાગ્રસ્ત હોય ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેની સાથે-સાથે ટોડ એસ્ટલને પણ ઇજાના કારણે ટીમમાં સ્થાન મળ્યું નથી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વન ડે શ્રેણીની પ્રથમ મેચ 23 જાન્યુઆરીના રોજ નેપિયર ખાતે રમાશે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં ત્રણ વન ડે શ્રેણીમાં હાલમાં બંને ટીમ 1-1 સાથે બરોબરી પર છે.
આમ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન ડે અત્યંત રોમાંચક રહેશે. જે પણ ત્રીજી વન ડે મેચ જીતશે તે શ્રેણી જીતશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પાંચ વન ડે મેચ રમશે. ભારત સામેની પાંચ વન ડે મેચની પ્રથમ ત્રણ વન ડે માટેની ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રકારે છે.