વર્ષ 2022માં બેન્કના લોકરથી લઈને સ્વિગી અને ઝોમેટોમાંથી ભોજન મંગાવવાના નિયમો બદલાઈ રહ્યા છે.
2022માં બદલાઈ જશે આ નિયમો
બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર
ATMમાંથી પૈસા ઉપાડવા પર વધારે ચાર્જ
આજે વર્ષ 2021ની છેલ્લી તારીખ છે. કાલથી નવું વર્ષ શરૂ થશે. વર્ષ 2022માં પહેલા દિવસથી ઘણા એવા નિયમો છે જેમાં ફેરફાર થવાના છે. તેમાં બેન્કના લોકરથી લઈને સ્વિગી અને ઝોમેટો પરથી ઓર્ડર કરવા સુધીના ઘણા નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે.
બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર
સૌથી પોઝિટિવ અને મોટો ફેરફાર લોકર સાથે જોડાયેલા નિયમોમાં થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી બેન્ક લોકરમાં મુકવામાં આવેલા સામાનની જવાબદારી ગ્રાહકની હતી અને કોઈનું નુકસાન થવાની સ્થિતિમાં બેન્ક હાથ ઉંચા કરી લેતી હતી. પરંતુ હવે આમ નહીં થઈ શકે. ફેબ્રુઆરી 2021એ સુપ્રીમ કોર્ટના એક આદેશનું પાલન કરતા RBIએ તેની સાથે જોડાયેલા નવા નિયમો બનાવ્યા છે.
હવે કોઈ પણ બેન્કમાં જો આગ, ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ વગેરે જેવા કારણોથી ગ્રાહકોના લોકરનો સામાન ગાયબ થાય છે તો બેન્કને તે લોકરના વાર્ષિક ભાડાના લગભગ 100 ગણા વઘારે દંડ આપવો પડશે. જોકે પ્રાકૃતિક આફત અને ગ્રાહકોની ગેર જવાબદારીથી થયેલા નુકસાન પર બેન્કની કોઈ જવાબદારી નહીં રહે.
ATMમાંથી પૈસા ઉપાડવા પર વધારે ચાર્જ
બેન્કો સાથે જ જોડાયેલો બીજો એક નિયમ શનિવારે બદલાઈ જશે. જો કોઈ ગ્રાહક એટીએમના ફ્રી ટ્રાન્ઝેક્શનથી વધારે ટ્રાન્ઝેક્શન કરે છે તો તેને ચાર્જ પેટે 20ની જગ્યા પર 21 રૂપિયા આપવાના રહેશે. જોકે તેની પાછળ RBIએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનું કારણ જણાવ્યું હતું. RBI પહેલા જ IMPS, RTGS જેવા ડિજિટલ પેમેન્ટ ટૂલ માટે ચાર્જમાં ફેરફેર કરી ચુક્યું છે.
ચાલુ થશે એમએફ સેન્ટ્ર્લ પોર્ટલ પર ટ્રાન્ઝેક્શન
મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા સર્વિસને સરળ બનાવવા માટે સપ્ટેમ્બર 2021માં એમએફ સેન્ટ્રલ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. નવા વર્ષમાં આ પોર્ટલ પર લેવડ દેવડ કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. આ દરેક બેન્ક ખાતામાં ફેરફાર, મોબાઈલ નંબર અને ઈમલ, નોમિનેશન કરાવવું જેવી સુવિધાઓ મળી રહી છે. તેને ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડે મંજૂરી આપી છે.
સ્વિગી, ઝોમેટોથી ઘરે બેઠા ભોજન મંગાવવું થશે મોંઘુ?
જીએસટી પરિષદની 45મી બેઠકમાં સ્વિગી અને ઝોમેટો જેવી ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપનીમાંથી ભોજન ઓર્ડર કરવા પર જીએસટી કલેક્શનની જવાબદારી એજ પ્લેટફોર્મને આપી દેવામાં આવી છે. અત્યાર સુધી આ કંપનીઓ જીએસટી કલેક્ટ કરવા પાર્ટનર રેસ્ટોરન્ટ અથવા ફૂડ જ્વોઈન્ટને પરત કરી દેતી હતી જેથી તે પોતાના હિસાબથી તેને ભરી શકે.
પરંતુ હવે આ કામ તેમને પોતે જ કરવાનું હશે. જોકે ખાવા પર જીએસટીના રેટને 5 ટકા પર જ રાખવામાં આવ્યું છે. એવામાં ગ્રાહકો પર તેનો બોજો વધવાની આશા નથી. પરંતુ જો રેસ્ટોરન્ટ પહેલા જીએસટી રિટર્ન ફાઈલ નહીં કરો તો આ અનરજીસ્ટર્ડ હતા અને હવે તેમના ખાવા પર જીએસટી લાગશે અને તેની અસર ગ્રાહકો પર પડશે.