વર્ષ 2021ને લઈને લોકોને અનેક નવી આશાઓ છે ત્યારે આપને જણાવી દઈએ કે આવનારું વર્ષ શુભ સંયોગ અને શુભ મૂહૂર્ત લઈને આવ્યું છે. નવા વર્ષે અનેક એવા સંયોગ બની રહ્યા છે જે શુભ સાબિત થઈ શકે છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર પુષ્ય મહાયોગથી શરૂ થનારું નવું વર્ષ શુભદાયી રહેશે.
વર્ષ 2021 રહી શકે છે લાભદાયી
પુષ્ય મહાયોગથી શરૂ થશે નવું વર્ષ
અનેક લોકો માટે નવા વર્ષનો સંયોગ લાભદાયી
નવા વર્ષને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા વર્ષના આગમનની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઈ છે. નવું વર્ષ, નવી આશા, નવી ખુશીઓ, નવા સપના અને નવા તહેવારથી લોકો ખુશ થાય છે. વર્ષ 2021 અનેક નવા સંયોગ અને શુભ મૂહૂર્ત લઈને આવ્યું છે. નવું વર્ષ પુષ્પ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ લઈને આવ્યું હોવાથી શુભ રહેશે.
આ 3 યોગ રચાતા મળશે સફળતા
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર નવા વર્ષે ખાસ કરીને અમૃત સિદ્ધિ યોગ અને ગુરુ પુષ્પ યોગની સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. જે શુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ શુભ ગ્રહોમાં શરૂ કરાતા કામ જલ્દી પૂર્ણ થાય છે. તો જાણો કયા ખાસ યોગ નવા વર્ષે બની રહ્યા છે અને તે શું ફાયદો આપશે.
નવા વર્ષે બની રહ્યા છે આ શુભ સંયોગ
1. 1 જાન્યુઆરી 2021 સૂર્યોદય સુધી અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે. જે શુભ સંયોગ વર્ષ 2020ના છેલ્લા દિવસ સુધી એટલે કે 31 ડિસેમ્બર સાંજે 7.49 મિનિટથી શરૂ થશે જે આવનારા દિવસના સૂર્યોદય સુધી રહેશે.
2. 1 જાન્યુઆરી સૂર્યોદય સુધી ગુરુ પુષ્પ યોગ રહેશે. આ યોગ 31 ડિસેમ્બરની સાંજે 7.49 મિનિટથી શરૂ થશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ યોગમાં ભગવાન સૂર્યની પૂજા અર્ચના કરવાથી શરીર નિરોગી રહે છે.
3. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. માન્યતા અનુસાર સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરાયેલું કોઈ પણ કામ સારી રીતે સિદ્ધ થાય છે. આ શુભ યોગ 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીના સૂર્યોદય સુધી રહેશે.