બિનજરૂરી કોલને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે જેના કારણે ટેલિકોમ કંપનીએ નવો નિયમ લાગૂ કર્યો છે. હવે ગ્રાહકોને થોડી મુશ્કેલી પડશે.
બિનજરૂરી કોલને લઈને સરકારનું કડક વલણ
કંપનીઓએ લાગૂ કર્યો નવો નિયમ
થોડા દિવસ સુધી ઓટીપી અને મેસેજ મેળવવામાં થશે મુશ્કેલી
બિનજરૂરી કોલને લઈને સરકારે કડક વલણ અપનાવ્યા બાદ ટેલિકોમ કંપનીઓએ આ માટે નવો નિયમ લાગૂ કર્યો છે. આ કારણે લાખો ગ્રાહકોને ઓટીપી જેવા જરૂરી એસએમએસ મેળવવામાં તકલીફ આવી રહી છે અને આવનારા થોડા દિવસ સુધી આ કાયમ રહેશે. કેટલાક ગ્રાહકોને આધાર ઓટીપી, કોવિન પ્લેટફોર્મની મદદથી વેક્સીનેશન જેવા જરૂરી કાર્યોને માટે થનારા એસએમએસ મેળવવામાં તકલીફ આવી શકે છે.
શા માટે આવી રહી છે તકલીફ
ટ્રાઈએ પોતાના ગ્રાહકોને બિનજરૂરી કોલ અને ફેક મેસજની મુશ્કેલીથી બચાવવા માટે ટેલીકોમ કંપનીના ગ્રાહકોના રજિસ્ટ્રેશન અને માનકીકરણના નવા નિયમ લાગૂ કરવાનું કહ્યું છે. રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાએ રવિવાર રાતથી તેને લાગૂ કર્યા છે. ટ્રાઈએ નવા માનક 2019થી લાગૂ કરવાનું વિચાર્યું હતું પણ ફિશિંગ એટેક અને બિનજરૂરી કોલના કારણે હવે તેને કડકાઈથી લાગૂ કરવામાં આવી રહ્યા છે.
જલ્દી થશે સમાધાન
સોમવારથી અનેક ગ્રાહકોને અનેક જરૂરી મેસેજ મળવામાં મુશ્કેલી આવી રહી છે. પણ ટેલિકોમ કંપનીનું કહેવું છે કે આ સમસ્યાનું જલ્દી સમાધાન આવશે. ટ્રાઈ ઓપરેટરોએ બિનજરૂરી કોલ્સ અને મેસેજને રોકવા માટે બ્લોક ચેન પ્રોધ્યોગિકીનો ઉપયોગ કરવાનું કહ્યું છે. ટ્રાઈએ બિનજરૂરી કોલ્સ અને સ્પેમની સાથે સંબંધિત નિયમોમાં પણ 2018માં ફેરફાર કર્યા હતા. ટેલી માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંદેશા મોકલવામાં પણ ગ્રાહકોની મંજૂરી અનિવાર્ય કરવાના નવા નિયમોને જોતા આ ફેરફાર કર્યા હતા. નિયામકે દૂરસંચાર ઓપરેટરોને સુનિશ્ચિત કરવા કહ્યું કે વ્યાવસાયિક સંદેશ ફક્ત રજિસ્ટર્ડ નંબર પર જ મોકલાય.
સરકારે અપનાવ્યું કડક વલણ
સરકારે આ કેસમાં કડકાઈ અપનાવી છે. ગ્રાહકોને અનિચ્છનીય કર્મશિયલ કોલ કે એસએમએસ મોકલનારી કંપનીઓ પર દંડની જોગવાઈ કરાઈ છે. એવા એપ વિકસિત કરાયા છે જેની મદદથી ગ્રાહક ટેલિકોમ કંપનીના અનિચ્છનીય કોલ, મેસેજ અને દગાખોરીની ફરિયાદ કરી શકશે.
ટેલિકોમ મંત્રીએ કહ્યું આવું
પ્રસાદની વરિષ્ઠ અધિકારીઓ સાથેની મીટિંગમાં કર્મશિયલ કોલની સંખ્યા વધારવાની વાત કરાઈ છે. અધિકારીઓએ કહ્યું કે ગ્રાહકો દ્વાર ડુ નોટ ડિસ્ટર્બમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ તે નંબરથી તેમને સતત કર્મશિયલ કોલ અને મેસેજ આવતા રહે છે. આવી કંપનીઓ પર પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને દંડની પણ જોગવાઈ કરવા કહ્યું છે. નિયમોના ઉંલ્લંઘન કરાતી કંપનીના કનેક્શન કાપી લેવા કહ્યું છે.