મહારાણા પ્રતાપની સેનાને હલદીઘાટીના યુદ્ધમાં પીછહેઠ કરવી પડી તેવો સ્મારક પથ્થર હટાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
1576 માં લડાયેલા હલકીઘાટીના યુદ્ધના સ્મારક પથ્થરનો મામલો
મહારાણા પ્રતાપે પીછહેઠ કરવી પડી હતી તેવો સ્મારક હટાવાશે
ભારતીય પુરાતત્વ ખાતું આ પથ્થર હટાવશે
1576 માં મહારાણા પ્રતાપ અને મોગલ સમ્રાટ અકબરની વચ્ચે લડાયું હતું હલદીઘાટીનું યુદ્ધ
મહારાણા પ્રતાપની સેનાને હલદીઘાટીના યુદ્ધમાં પીછહેઠ કરવી પડી તેવો સ્મારક પથ્થર હટાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ઈતિહાસ બદલશે
મોગલ સમ્રાટ અકબર સાથે થયેલા મહાભયંકર હલદીઘાટી યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેનાએ પાછળ હઠવું પડ્યું હતું. અત્યાર સુધી ઈતિહાસમાં આવું ભણાવાયું રહ્યું છે પરંતુ હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ઈતિહાસ બદલવાનો નિર્ણય કર્યો છે. હલદીઘાટીનું યુદ્ધ 18 જુન 1576 માં મેવાડના રાજપૂત શાસક મહારાણા પ્રતાપ અને મોગલ સમ્રાટ અકબરની વચ્ચે લડાયું હતું. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણે તેના સ્ટેટ યુનિટને આ સ્મારક પથ્થર હટાવવાનો આદેશ આપ્યો છે. આ પથ્થર પર મહારાણા પ્રતાપની સેનાને પાછળ હટવું પડ્યું હતું તેવી વાત લખાઈ હતી.
સરકારે નેતાઓ અને રાજપૂતોની વાત માની
ઘણા નેતાઓ અને રાજપૂત સંગઠનોએ હલદીઘાટ સ્મારકમાંથી આ પથ્થર હટાવવાની માંગ કરી હતી. રાજસમંદના સાંસદ દીયા કુમારીએ 25 જુને કેન્દ્રીય પ્રવાસ મંત્રીને પત્ર લખીને તેમાં સુધારો કરાવની માંગણી કરી હતી. ત્યાર બાદ સંસ્કૃતિ રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ભારતીય પુરાતત્વ ખાતાને આ પથ્થર હટાવવાનો આદેશ આપ્યો હતો. એએસઆઈ જોધપુર સર્કલના સુપ્રી.બિપિનચંદ્ર નેગીએ જણાવ્યું કે સ્મારક પથ્થર હટાવી દેવામાં આવશે.