નેપાળમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે, જ્યાકે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે. જેના કારણે 70 થી વધુ લોકોના મોત થયા છે.
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ખરાબ સ્થિતિ
નેપાળમાં 77 લોકોના મોત અને 12 થી વધુ લોકો ગુમ થયા
પૂરના પાણી એરપોર્ટ પર પણ ભરાયા
Nepal: Kathmandu facing floods & landslides due to incessant rainfall in the region. At least 32 people have been killed & 18 others are missing according to the Nepal Police. pic.twitter.com/qbpauqfTkw
નેપાળમાં છેલ્લા પાંચ દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ભારે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. જેના કારણે બુધવાર સુઘી ઓછામાં ઓછા 77 લોકોના મોત થયા છે. જેમાંથી 34 લોકોના મૃતદેહો મળી આવ્યાં છે, આ અંગે નેપાળના અધિકારી દિલ કુમાર તમંગે જણાવ્યું હતું કે, ભારતની સરહદે આવેલા પૂર્વ નેપાળના પંચથર જિલ્લામાં 24 , પાડોશી ઈલામમાં 13 અને પશ્ચિમ નેપાળમાં ડોતીમાં 12 લોકોના મોત થયા છે. બાકીના દેશના પશ્ચિમ ભાગમાં મૃત્યુ પામ્યા છે.
PM શેર બહાદુર દેઉબાએ સહાયની જાહેરાત કરી છે
સુત્રોના જણાવ્યા અનુસાર કે નેપાળમાં આવેલી કુદરતી આફતમાં 22 લોકો ઘાયલ થયાં છે. અને 26 લોકો ગુમ થયા છે.આ બનાવના મામલે નેપાળના પ્રઘાનમંત્રી શેર બહાદુર દેઉબાએ પૂર અને ભૂસ્ખલનમાં માર્યા ગયેલા પરિવારોને સહાયની જાહેરાત કરી છે.જ્યાપે ઘાયલોને નિઃશૂલ્ક સારવાર આપશે.બીજી તરફ રાજધાની કાઠમંડુથી આશરે 350 કિમી પશ્ચિમમાં સતત ભારે વરસાદના કારણે પશ્ચિમ નેપાળના એક ગામ સેટી સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે.અહીં 60 લોકો બે દિવસ સુધી પૂરમાં ફસાયેલા છે.
પૂરના પાણી એરપોર્ટ પર પણ ભરાયા
નેપાળના પોલીસ પ્રવક્તા બસંત કુંવરે કહ્યું, ખરાબ હવામાન અને સતત વરસાદના કારણે બચાવ કાર્યકરો ગામ સુધી પહોંચી શક્યા નથી. બચાવ કાર્ય આજે પણ ચાલુ છે. ટેલિવિઝન ચેનલો પર બતાવવામાં આવી રહ્યું છે કે ચોખા ડાંગરનો પાક ધોવાઇ ગયો છે અને નદીઓ છલકાઇ ગઇ છે, પુલ, રસ્તાઓ, મકાનો અને શહેરમાં એરપોર્ટ પણ પૂરના પાણી ધૂસી જવાથી ભારે તબાહી મચાવી છે. દેશના વિવિધ ભાગોમાં કુદરતી આફતોની ઘટનાઓમાં ફસાયેલા લોકોને નેપાળ આર્મી, નેપાળ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી શોધવામાં આવી રહ્યા છે.
અગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહીમાં જણાવ્યું છે કે પૂર્વ પર્વતીય વિસ્તારોમાં "ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ હિમવર્ષા" થવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે,નેપાળ છેલ્લા રવિવારથી સતત વરસાદને કારણે આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 77 થયો છે. જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. અન્ય 26 લોકો પણ લાપતા હોવાનું કહેવાય છે.