નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ નેપાળમાં અયોધ્યાપુરી ધામના નિર્માણ અને વિકાસ માટે 100 વિઘા જમીન આપવાનું એલાન કર્યું છે. ઓલીએ અગાઉ પણ રામ જન્મ ભૂમીને લઇને પણ નિવેદન આપ્યું હતું. ત્યારે હવે તેમણે જમીન આપવાની પણ જાહેરાત કરી છે.
રામ મંદિરના નિર્માણ માટે 40 એકર જમીન આપવાની જાહેરાત
રામની જન્મભૂમી ભારતમાં નહીં પરંતુ નેપાળઃ ઓલી
ભારતે નેપાળ વિરૂદ્ધ સાંસ્કૃતિક હુમલો કર્યોઃ ઓલી
જૂલાઇ મહિનામાં પ્રધાનમંત્રી ઓલીએ કહ્યું હતું કે, હિંદુઓના આરાધ્ય ભગવાન રામની જન્મભૂમી ભારતમાં નહીં પરંતુ નેપાળ છે. ઓલી પોતાના આ નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા છે. આજે (બુધવાર) ઓલીએ કહ્યું કે, 100 વિઘા એટલે કે 40 એકર જમીન ધામને આપશે જેથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરી શકાય.
14 જૂલાઇએ પ્રધાનમંત્રી ઓલીને ભગવાન રામના જન્મસ્થાન વિશે ચોંકાવનારી ટિપ્પણી કરી હતી. ઓલીએ નેપાળના ચિતવન જિલ્લાની માડી નગર પાલિકા વિસ્તારને ભગવાન રામનું જન્મ સ્થળ ગણાવ્યું હતું. બુધવારે શર્મા ઓલીએ અયોધ્યાપુરી ધામના નિર્માણ માટે જમીન આપવાનો નિર્ણય કર્યો છે. તેમનો દાવો હતો કે ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો, ન કે ભારતમાં ઉત્તરપ્રદેશના અયોધ્યામાં. ઓલીએ ભારત પર એક નકલી અયોધ્યા બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ભારતે નેપાળ વિરૂદ્ધ સાંસ્કૃતિક હુમલો કર્યોઃ ઓલી
તેમણે ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, ભારતે નેપાળ વિરૂદ્ધ સાંસ્કૃતિક હુમલો કર્યો છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યાર કાડમાંડુ અને નેપાળ વચ્ચે બોર્ડરને લઇને સંબંધો તણાવપૂર્ણ ચાલી રહ્યા છે. તેવામાં તેમના આ નિવેદનથી બન્ને દેશો વચ્ચે સંબંધો વધુ બગડી શકે છે. હાલના મહિનામાં નેપાળે ચીનના ઇશારે ભારતીય જમીનને પોતાની ગણાવતો નકશો જાહેર કર્યો હતો. જેનો ભારતે વિરોધ કર્યો હતો.