બોલિવૂડના લેજેન્ડ અભિનેતા ઋષિ કપૂરે 30 એપ્રિલે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના અચાનક નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને કપૂર પરિવાર પણ આઘાતમાં છે. પરિવારના સભ્યો તેમની યાદોમાં ખોવાયેલા છે. કપૂર પરિવાર સિવાય બોલિવૂ઼ સ્ટાર્સમાં પણ શોકનો માહોલ છે.
એક્ટ્રેસ નીતૂ કપૂર છેલ્લા સમય સુધી પતિની સાથે ઊભી રહી હતી. ઋષિના જવાથી તે ખૂબ જ દુઃખી છે. હવે નીતૂએ સોશિયલ મીડિયા પર ઋષિની એક તસવીર શેર કરીને ઈમોશનલ કેપ્શન લખ્યું છે. તેમણે ઋષિ કપૂરની એક સ્માઈલ આપતી તસવીર શેર કરીને લખ્યું-અમારી કહાનીનું અંત.
તમને જણાવી દઈએ કે, એ જમાનામાં ઋષિ અને નીતૂની સ્ટોરી ઘણી ફેમસ રહી હતી. ફિલ્મના સેટથી બંનેનો પ્રેમ પાંગર્યો હતો. નીતૂ અને ઋષિની પહેલી મુલાકાત ફિલ્મ ઝહરીલા ઈન્સાનના સેટ પર થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ પરંતુ પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો. નીતૂ સુખઃદુઃખમાં ઋષિના પડખે ઊભી રહી હતી.
તમને જણાવી દઈએ કે, છેલ્લા 2 વર્ષથી ઋષિ કપૂર કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં હતા. તેમણે એક વર્ષ સુધી ન્યૂયોર્કમાં સારવાર પણ લીધી. ત્યારબાદ તેઓ ભારત પરત આવ્યા. જોકે, શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે 29 એપ્રિલે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને 30 એપ્રિલની સવારે તેમનું નિધન થઈ ગયું.