મહારાષ્ટ્રના પંઢરપુર- મંગલવેદ વિધાનસભા મત વિસ્તારથી NCP ના ધારાસભ્ય ભરત ભાલકેનું આજે પૂણેની રૂબી હોસ્પિટલમાં નિધન થયું છે. કોરોના ચેપ લાગ્યાં બાદ તેમને સમસ્યાઓની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના ધારાસભ્યનું કોરોનાથી નિધન
પૂણેની રૂબી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર
પંઢરપુર - મંગલવેદ સીટ પરથી હતા ધારાસભ્ય
મહારાષ્ટ્રના પંઢરપુર- મંગલવેદ મત વિસ્તારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP ના ધારાસભ્ય ભરત ભાલકેનું આજે પુણેની રૂબી હોસ્પિટલમાં નિધન થયું છે. તેમને પોસ્ટ કેવિડ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર, કોરોના ચેપ લાગ્યાં બાદ ભરત ભાલકેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ગયા મહિને સંક્રમિત થયા હતા ભરત ભાલકે
મનાઈ રહ્યું છે કે ભારત ભાલકે ગયા મહિને કોરોના સંક્રમણનો ભોગ બન્યો હતો. ત્યારબાદ તેમને પૂણેની રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાથી સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પંઢરપુર- મંગલવેદ વિધાનસભા બેઠક પરથી સાઠ વર્ષના ભાલકે સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા.
મહત્વનું છે કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે. અત્યારે હાલત એવી છે કે મુંબઈ એરપોર્ટ પર વ્યવસ્થા વધુ કડક બનાવી દેવાઈ છે. કોરોના પરીક્ષણ કર્યા વિના એરપોર્ટથી બહાર નીકળવું પોસિબલ નથી. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈના પ્રભારીએ નવા નિયમો જાહેર કર્યા હતા.
મહારાષ્ટ્ર સરકારએ નવા નિયમો જાહેર કર્યા છે
મહારાષ્ટ્રએ કોરોના સંકટને લઈને બહારથી આવતા લોકોને લઈને કોરોના પરીક્ષણ વિનાની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો કોરોના નિયંત્રણ ન કરી શકાય તો બીજી લહેર સુનામી જેવી હશે. ઉદ્ધવ સરકારે શરતો સાથે અન્ય રાજ્યોથી મુંબઇ આવતા મુસાફરોની એન્ટ્રી શરૂ કરી દીધી છે. નવા નિયમો અનુસાર દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, ગોવાથી મુસાફરો કોરોના નેગેટિવ રિપોર્ટ વિના રાજ્યમાં પ્રવેશી શકશે નહી.