અનિલ અંબાણીની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે, NCLTએ અનિલ અંબાણી સામે નાદારીની કાર્યવાહી આગળ વધારવા માટે મંજૂરી આપી છે.
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો
NCLTએ અનિલ અંબાણી સામે કાર્યવાહી કરવાની આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની 1,200 કરોડની લોન ભરપાઈ ન કરી શકવાના કારણે તેમની સામે આ કાર્યવાહી કરાવાનો આદેશ અપાયો છે. સ્ટેટ બેંકે વર્ષ 2016માં અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને લોન આપી હતી.
અનિલ અંબાણીએ આ લોન માટે 1,200 કરોડની વ્યક્તિગત ગેરંટી આપી
અનિલ અંબાણીએ આ લોન માટે 1,200 કરોડની વ્યક્તિગત ગેરંટી આપી હતી. હવે બંને કંપનીઓ બંધ થઈ ગઈ છે. તેના કારણે CBIએ મુંબઈ NCLTમાં અપીલ કરી હતી. બેંકે માંગ કરી હતી કે નાદારી કાયદા મુજબ આ રકમ અનિલ અંબાણી પાસેથી વસૂલ કરવાની છૂટ આપવી જોઈએ કારણ કે તેણે આ લોનની વ્યક્તિગત ગેરંટી આપી છે.
શું કહ્યું NCLT એ?
NCLT મુંબઈએ પોતાની ટિપ્પણીમાં કહ્યું, 'RCOM અને RITL બંનેએ જાન્યુઆરી 2017 માં લોનની ચુકવણી પર ડિફોલ્ટ કર્યો હતો. તેના ખાતામાં 26 ઓગસ્ટ 2016 થી નોન પરફોર્મિંગ એસેટ જાહેર કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, 2019 ની શરૂઆતમાં, RCom એ નાદારી માટે અરજી કરી હતી અને કહ્યું હતું કે તેના પર લગભગ 33,000 કરોડ રૂપિયાનું દેવું છે. જો કે, બેંકોનું કહેવું છે કે તેઓ આરકોમ પર ઓગસ્ટ 2019 સુધી 49,000 કરોડ રૂપિયા બાકી છે.