નવસારીના વાસંદા તાલુકાના રવાણીયા ગામે પરિવારના મોભી દ્વારા તમામ સભ્યોની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
નવસારીમાં એક જ પરિવાર 4 સભ્યોના મોત
પરિવારના મોભીએ બે બાળકી અને પત્નીની પણ કરી હત્યા
પરિવારના સભ્યોની હત્યા બાદ ઘરના મોભી કર્યો આપઘાત
નવસારીના વાસંદા તાલુકાના રવાણીયા ગામમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે. ત્યારે પરિવારમાં બે બાળકી અને પત્નિની હત્યા કરવામાં આવી છે. ત્યારે પરિવારના સભ્યોની હત્યા બાદ ઘરના મોભીએ પણ આપઘાત કર્યો છે. ત્યારે હત્યા અને આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.