નવસારીમાં પતિ-પત્ની વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવવા માટે એક મૌલવીએ મહિલા પાસેથી રૂપિયા પડાવ્યા હતા. મૌલવીએ આ મહિલા પાસેથી અંદાજે 66 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેથી ઉશ્કેરાયેલી મહિલા અને તેની માતા મૌલવી પાસે પહોંચી હતી.
આ દરમિયાન મૌલવી અને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. મહિલાએ મૌલવી પર કેરોસીન પણ છાટ્યું હતુ. જો કે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. મહિલાએ મૌલવી સામે પૈસા પડાવવા અને મારામારી કરવાની ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે મૌલવીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
નવસારીમાં મૌલવીએ પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં સમાધાન કરાવવા પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રહેતા એક પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હોય આ મૌલવી પાસે સમાધાનને લઇને આવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી છે.
જો કે મૌલવીએ પતિ-પત્નીના સમાધાનને લઇને અંદાજે 66 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા મહિલા અને તેની માતા મૌલવીના ઘરે પહોંચ્યાં હતા. જેમાં મૌલવી અને મહિલા તેમજ તેની માતા વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઇ હતી.
જો કે આની વચ્ચે મહિલાએ મૌલવી પર કેરોસની છાટયું હોવાનો પણ આરોપ લાગ્યો છે. જો કે હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ત્યારે મહિલાઓએ મૌલવી સામે પૈસા પડાવવા અને મારામારીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદને લઇને મૌલવીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.