નવરાત્રી 18 માર્ચથી શરૂ થઇ ગઇ છે. ચૈત્રના નવરાત્રીના પહેલા દિવસે દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ તકે અમે તમને કાનપુરના 'બારા દેવી' મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ. આ મંદિર પૌરાણિક અને પ્રાચીન મંદિરોમાં સમાવેશ થાય છે. 1700 વર્ષ જૂના આ મંદિરની દેવી પ્રત્યે લોકોને ઊંડી આસ્થા છે.
કાનપુરના દક્ષિણમાં સ્થિત બારા દેવી મંદિરનો વિસ્તાર બારા દેવીના અસલી નામથી જાણવામાં આવે છે. જણાવી દઇએ કે કાનપુર દક્ષિણના મોટાભાગના વિસ્તારોના નામ બારા દેવી મંદિર પર જ રાખવામાં આવ્યા છે. એમાં બર્રા 01 થી લઇને 09 સુધી બિન્ગવા અને બારાસિરોહી સામેલ છે. આ ઉપરાંત બર્રા વિશ્વ બેંકનું નામ પણ દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ છે ખાસ
મંદિરની સૌથી ખાસ વાત એ છે કે ભક્ત પોતાની મનોકામના માનીને ચુંદડી ચઢાવે છે. જેની મન્નત પૂરી થાય છે એ એને ખોલી દે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ કારણથી અહીંયા લોકોનો અતૂટ વિશ્વાસ છે.
રહસ્ય છે ઇતિહાસ
હકીકતમાં આ મંદિરનો ઇતિહાસ શું છે એની સાચી માહિતી કોઇની પાસે નથી. મંદિરના લોકોનું માનીએ તો એએસઆઇની ટીમે જ્યારે એનું સર્વેક્ષણ કર્યું હતું અને એવું જાણ્યું હતું કે મંદિરની મૂર્તિ લગભગ 1500 થી 1700 વર્ષ જૂની છે.
એક કિસ્સો આવો પણ
મંદિરના પુજારીનું કહેવું છે કે એનાથી જોડાયેલી એક કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. એક વખત પિતા સાથે થયેલી અણબન પર એમના ડરથી બચવા ઘરેથી એક સાથે 12 બહેનો ભાગી હતી. બધી બહેનો કિદવઇ નગરમાં મૂર્તિ બનીને સ્થાપિત થઇ ગઇ. પથ્થર બનેલી આ 12 બહેનો ઘણા વર્ષો બાદ બારા દેવી મંદિરના નામથી પ્રસિદ્ધ થઇ. કહેવામાં આવે છે કે બહેનોના શ્રાપથી એમના પિતા પણ પથ્થર બની ગયા હતા.