હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર કટાક્ષ કર્યો છે.
મહારાષ્ટ્રીય રાજકીય સંકટ આવી પડ્યૂ
ઉદ્ધવ સરકારના એક મંત્રીએ બળવો કર્યો
નવનીત રાણાએ કટાક્ષમાં કરી આ વાત
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના સંકટમાં આવવા પર સાંસદ નવનીત રાણાએ કટાક્ષ કર્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર બહાર હનુમાન ચાલીસાના પાઠની જાહેર કરીને વિવાદમાં ઘેરાયેલા રાણા દંપતિને જેલની હવા પણ ખાવી પડી હતી. હવે તેમણે ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટ પર આવવા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મેં 11 વાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે, જેથી મહારાષ્ટ્રના સંકટમાંથી બચાવી શકાય. તેમણે કહ્યું છે કે, મને સંકટમોચક પાસેથી આશા હતી કે, રાજ્યને આ સંકટમાંથી બચાવે. એટલુ જ નહીં, તેમણે ફરી એક વાર ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ સરકાર તો પોતાના કરેલા કર્મોના આધારે પડી રહી છે.
मुंबई ते दिल्ली विमान प्रवास दरम्यान वाचली हनुमान चालीसा, उद्धव ठाकरेंची उलटी गिनती सुरु pic.twitter.com/AmqbxNkm4V
— Navneet Ravi Rana (@navneetravirana) June 21, 2022
નવનીત રાણાના પતિ રવિ રાણા પણ ધારાસભ્ય છએ અને હવે નવી સરકારનું જો ગઠન થાય છે, તો આવી સ્થિતિમાં તેમનો રોલ પણ મહત્વનો હશે. નવનીત રાણાએ સરકાર પર આવેલા સંકટને લઈને કહ્યું કે, રાજ્યસભા અને વિધાન પરિષદમાં જો આવી જ રીતે વોટિંગ થાય છે તો પછી મહાવિકાસ અઘાડીમાં શિવસેના ધારાસભ્ય ખુશ નથી. તેમણે ભાજપ ઉમેદવારને વિધાન પરિષદ ચૂંટણીમાં વોટ કર્યો અને જીતાડ્યા. અમે અઢી વર્ષથી મહારાષ્ટ્રને ડૂબતુ જોઈ રહ્યા છીએ. મહારાષ્ટ્રનું સંકટ ટૂંક સમયમાં ખતમ થશે. ધારાસભ્યો રાજ્યનું નુકસાન થતા જોઈ શકશે નહીં. ટૂંક સમયમાં આ સંકટને દૂર કરવામાં આવશે. શિવસેનાના અંદરખાને રહેલા ડખ્ખાથી આ મતભેદો ઊભા થયા છે. તેમણે કહ્યું કે, તેમણે કરેલા કર્મોથી ઉદ્ધવ સરકાર પડી જશે.
નવનીત રાણાએ કહ્યું કે, આ સરકારનો જનતા સાથે સંપર્ક તૂટી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારના સીનિયર મંત્રી એકનાથ શિંદેએ શિવસેના નેતૃત્વ સાથે બળવો કર્યો છે. તેઓ ત્રણ મંત્રીઓ અને લગભગ 26 ધારાસભઅયો સાથે સૂરતની એક હોટલમાં રોકાયા છે. કહેવાય છે કે, તેઓ શિવસેનામાં સાઈડલાઈન થતાં નારાજ ચાલી રહ્યા હતા. એકનાથ શિંદેની નારાજગી શિવસેનાને મોટો ઝટકો આપશે અને ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. આ બાજૂ સરકાર પડી જાય તો, વિપક્ષમાં બેસવા માટેની તૈયારી પણ શરદ પવારે બતાવી છે.