કહેવાય છે ને કે અહીંના કર્યા અહીં જ ભોગવવા પડે છે અને કર્મના સિદ્ધાંતને તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ મુંબઇમાં બનેલી આ ઘટના બાદ જે નહોતા માનતા તે પણ માનવા લાગશે.
મનુષ્ય વર્ષોથી પૃથ્વી પર અવનવા પ્રયોગ કરતા રહ્યાં છે અને ધરતી પોતાની માલીકીની હોય તેમ દરેક વસ્તુનો ઉપયોગ કર્યો છે. નેચરલ પ્રક્રિયા સાથે છેડછાડ કરીને કુદરતી આફત નોતરી છે.
અંડર વોટર રેસ્ટોરન્ટથી લઇને પરમાણુ પરીક્ષણ સુધી કોઇ પણ પ્રયોગ કરવો બાકી રાખ્યો નથી ત્યારે મુંબઇમાં આજે જાણે ધરતીએ એવું કહી દીધુ હોય કે જે મારુ છે તે તારું જ છે એવું લાગી રહ્યું છે.
Then nature said ‘thanks’ & dumped all the trash back to Mumbai with cyclone. Nature -1, humans - 0. Pic via WA. pic.twitter.com/NKx15z9oRt
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 19, 2021
તૌકતેના કારણે મનુષ્યએ દરિયામાં ફેંકેલો કચરો ફરી પૃથ્વી પર માણસોની વચ્ચે, તેમના ચોખ્ખા રહેઠાણ વચ્ચે આવી ગયો છે અને કુદરતે અહેસાસ કરાવ્યો છે કે અત્યાર સુધી રોજ કેટલા ટન કચરો દરિયામાં નાંખી ચૂક્યા છે.
મનુષ્યનો સ્વભાવ છે કોઇનો અહેસાન લઇને ગુણ ન રાખવો કે સાવ ભૂલી જ જવો પરંતુ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે, કર્મ કર ફળની ચિંતા ન કર, તમે જેવા કર્મો કરશો તેવું ફળ તમને મળ્યા વગર નહી રહે. સારા કર્મોનું ફળ હંમેશા સારુ મળે છે અને ખરાબ કર્મો કર્યા હશો તો ખરાબ ફળ મળીને જ રહેશે. બસ તે જ રીતે વર્ષોથી દરિયામાં નાંખેલો કચરો ફરી એક વાર મુંબઇની સુંદર સડકો પર આવી ગયો છે.
જે સ્થળ બતાવીને મુંબઇ ટુરિઝમ ફેમસ છે અને પૈસા આવે છે તે જ ગેટ વે ઓફ ઇન્ડિયા અને મરીન ડ્રાઇવ પર કચરાના ઢગ થયા છે. આ જોઇને સોશ્યલ મિડીયા પર યુઝર્સ પોતાના મંતવ્યો કહી રહ્યાં છે.
કોઇ કહે છે કે આ તમે કરેલા કર્મોનું રિફન્ડ છે તો કોઇક આ કચરાને રિટર્ન ગિફ્ટ કરીકે સંબોધી રહ્યું છે. કુદરતે જાતે જ પોતાને સ્વચ્છ કરવાનું નક્કી કરી લીધુ હોય અને માણસોને પાઠ ભણાવવાનો નક્કી કર્યો હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક એવી ઘટનાઓ થઇ રહી છે કે જેને જોઇને શાસ્ત્રોમાં લખેલી વાતો સાચી લાગવા લાગી છે.
We dumped our waste into the sea.The Sea returned back everything.#CycloneTauktae
એવેન્જર્સ ઇન્ફીનીટી વોરમાં થેનોસ નામનું પાત્ર જ્યારે આવે છે અને કહે છે કે ધરતી પર જેટલા પ્રસાધનો છે તેને વાપરવા માટે માણસો વધી ગયા છે. તેથી હું વસ્તી કંટ્રોલ કરીશ અને જેટલા પ્રસાધનો છે તેને વધેલા લોકો વ્યવસ્થિત રીતે વાપરી શકે તેવો પ્રબંધ કરીશ. ત્યારે આપણે તેને વિલન અને એવેન્જર્સને હીરો માનતા હતા પરંતુ હવે એવું જ લાગી રહ્યું છે કે થેનોસની વાત સાચી હતી.
Garbage Returned By Sea In Mumbai Prove That Nature Will Always Cleanse Itself. 🌊
Here is the picture from #Mumbai which shows garbage literally thrown back to the beach by the sea after the #CycloneTauktae. 🌪️
કુદરતે જાણે થેનોસનું રૂપ ધારણ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે, અલગ અલગ મણિની જગ્યાએ અલગ અલગ હોનારત સર્જીને કુદરત પોતાને સાફ કરવાનું કામ કરી રહી છે. કોરોના, વાવાઝોડુ, ભૂકંપ જેવી કુદરતી આફતો આવી છે તો લોકો પણ વાતો કરવા લાગ્યા છે કે ધરતી પર ભાર વધી ગયો છે. દવાઓની કાળાબજારી અને મરતા માણસને બચાવવા પૂરતી માણસાઇ પણ નથી રહી ત્યારે કુદરત પણ રૂઠી છે અને આ પ્રકારની ઘટનાઓ થઇ રહી છે.