આજકાલની આરામદાયક જીવનશૈલી અને ફાસ્ટ લાઈફ જેટલી સુવિધાઓ લઈને આવે છે તેનાથી વધારે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ સાથે લઈને આવે છે. પરંતુ લોકો આ વાત સમજવા માગતા નથી, એમને તો જીવનમાં બસ મજા જોઈએ, હરવું-ફરવુ, બહાર ખાવું અને સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવું. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને બીમારીઓ શરીરને જકડી લેતી હોય છે જેથી શરીર ધીરે-ધીરે દુર્બળ અને શક્તિહીન બનતું જાય છે. કોઈપણ કારણોસર શરીર આંતરિક રીતે નબળું થઈ ગયું હોય તો અહીં જણાવેલા ઉપચાર અપનાવો.
શરીરમાં રહેલી દુર્બળતા દૂર કરવાના ઉપાયો
100 ગ્રામ તલ અને 50 ગ્રામ તજને દળીને ભૂકો બનાવી રોજ એક ચમચી ખાવાથી શરીરમાં શક્તિ આવે છે, ઉત્સાહ વધે છે.
અંજીર દૂધમાં ઉકાળી ઠંડુ થાય એટલે અંજીર ખાઈ લેવું તે દૂધ પીવાથી શક્તિ આવે છે તથા શરીરમાં લોહી વધે છે.
આમળાનો પાઉડર અને કાળા તલ સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી રોજ અડધી ચમચી ઘી કે મધમાં ચાટવાથી શક્તિ આવે છે અને શરીર બળવાન બને છે.
એક અંજીર અને 5-10 બદામ દૂધમાં નાખી ઉકાળી તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે.
તરબૂચના બીજ અને સાકર સમાન ભાગે દરરોજ એક એક ચમચી સવાર-સાંજ લેવાથી પુરુષોમાં દુર્બળતા દૂર થાય છે.
મોસંબીનો રસ લેવાથી શરીરની શક્તિમાં વધારો થાય છે.
રોજ 10 બદામને રાત્રે પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢી ચાવીને ખાવી. એની સાથે દૂધ પીવું. આનાથી શક્તિ મળે છે. તે યાદશક્તિ વધારે છે અને આંખની જ્યોતિ વધારે છે.
એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી શક્તિ વધે છે. દૂધ ઠંડું થયા પછી મધ નાખવું.
રોજ પપૈયું ખાવાથી શરીરની શક્તિ વધે છે.
સૂકું કોપરું ચાવીને ખાવાથી શરીરમાં અશક્તિ દૂર થાય છે.