સતત વધતા શહેરીકરણના કારણે જૈવ વિવિધતા પર પડતા પ્રભાવોનું આકલન કરનાર એક અભ્યાસમાં કહેવાયું છે કે વર્ષ ર૦૩૦ સુધી વૈશ્વિક રીતે લગભગ ત્રણ લાખ વર્ગ કિલોમીટરના પ્રાકૃતિક ક્ષેત્ર તબાહ થઇને શહેરોમાં બદલાઇ જશે. તેનો આકાર બ્રિટન કરતાં પણ મોટો હશે.
સંશોધકોએ ૯૦૦થી વધુ અભ્યાસનું સર્વેક્ષણ કરીને આ દાવો કર્યો છે. નેચર સસ્ટેનીબિલિટી નામની જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ ર૦૩૦ સુધી વૈશ્વિક રીતે ૧ર૦ કરોડથી વધુ લોકો શહેરી ક્ષેત્રોમાં વસવા આવી શકે છે.
કેનેડાની એમસી ગીલ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું કે વિકાસની ગતિ દર છ અઠવાડિયે ન્યૂયોર્કના આકારના એક શહેરનું નિર્માણ કરી શકે છે. શહેરોની વધતી વસ્તીના પ્રભાવો અંગે આપણી સમજ ભવિષ્યની જૈવ વિવિધતાનાં લક્ષ્યો માટે મહત્વપૂર્ણ છે, પરંતુ આપણે આપણી સમજ અને જ્ઞાનને વિકસાવવાની જરૂર છે.
જો આપણે તેમ ન કરી શકીએ તો તેનાથી શહેરીકરણ અંગે નવી અને કારગત નીતિઓ બનાવવાની આપણી ક્ષમતા પણ પ્રભાવિત થઇ શકે છે. આ અભ્યાસે જણાવ્યું કે જૈવ વિવિધતા પર વધતા શહેરીકરણનો સીધો પ્રભાવ ઉષ્ણકટીબંધીય તટિય ક્ષેત્રો જેમકે ચીન, બ્રાઝિલ અને નાઇજિરિયામાં સૌથી વધુ હશે. કારણ કે અહીં જૈવ વિવિધતાનું સ્તર ઘણું ઊંચું છે.