જળ વાયુપરિવર્તનની વરવી અસરો હવે ભારત સહિત દુનિયાભરના દેશોમાં દેખાઈ રહી છે. એક નવા સંસોધન પ્રમાણે કુદરતી વાયુઓ કાર્બનના ઉત્સર્જનમાં મોટો ભાગ ભજવે છે. માનવજાતે જો બળતણ તરીકે કુદરતી વાયુઓનો વિકલ્પ ન શોધ્યો તો વરવા પરિણામો માટે તૈયાર રહેવું પડશે.
પ્રાકૃતિક ગેસનો ઉપયોગ વધવાથી આ વર્ષે વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં રેકોર્ડ વૃદ્ધિ નોંધાઇ છે. આ પરિસ્થિતિ ત્યારે થઇ છે જ્યારે ઘણા દેશોમાં કોલસાનો વપરાશ ઘટાડવાની સાથે સાથે જળ વાયુ ઇમર્જન્સીની જાહેરાત કરાઇ હતી. એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટમાં પોતાના વાર્ષિક વિશ્લેષણમાં કહેવાયું છે કે રસોઇ અને વાહનોમાં વપરાતા પ્રાકૃતિક ગેસના કારણે આ વર્ષે કાર્બનનું ઉત્સર્જન ૦.૬ ટકા વધ્યું છે. ગયા વર્ષની તુલનામાં આ આંકડો ઓછો છે, પરંતુ આપણે ગ્લોબલ વોર્મિંગ પ્રત્યે સચેત રહેવાની જરૂર છે.
ત્રણ વૈશ્વિક અભ્યાસમાં લેખકોએ ઉત્સર્જનમાં વૃદ્ધિ માટે પ્રાકૃતિક ગેસ અને તેલને જવાબદાર ઠેરવ્યા હતા. તેનો એક અર્થ એ પણ છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુરોપમાં કોલસાના ઉપયોગમાં ઘટાડો થવા લાગ્યો છે.
કાર્બન બજેટ રિપોર્ટના લેખક કે.કોરિને જણાવ્યું કે એ વાત તો બધા જાણે છે કે કોલસાના ઉપયોગમાં ચડાવ ઉતારના કારણે વૈશ્વિક સ્તર પર જળ વાયુમાં પરિવર્તન આવે છે, પરંતુ તેલ અને વિશેષ રીતે પ્રાકૃતિક ગેસનો ઉપયોગ વધવાથી કાર્બન ઉત્સર્જનમાં વધારો થયો છે.
તેમણે કહ્યું કે હાલના દાયકાઓમાં વાયુ મંડળમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર ઝડપથી વધ્યું છે. આ વર્ષે સરેરાશ ૪૧૦ પીપીએમ ફેલાવાનું અનુમાન છે. આ સ્તર ૮૦ લાખ વર્ષમાં સૌથી વધુ છે. કોરિને જણાવ્યું કે આ રિપોર્ટ યુએનની જળ વાયુ બેઠકમાં એકત્રિત થનારા પ્રતિનિધિઓને અસહજ કરી શકે છે.
દુનિયાના મુખ્ય જળ વાયુ વૈજ્ઞાનિકોની ચેતવણી પર આપણે સમય મુજબ કામ કરવાની જરૂર છે. ગયા વર્ષે યુએનમાં કહેવાયું હતું કે વૈશ્વિક ઉત્સર્જનને દર વર્ષે ૭.૬ ટકા ઘટાડવાની જરૂર છે તેથી ૨૦૩૦ સુધી તાપમાનને ૧.૭ ડિગ્રી સ્લેસિયસ સુધી સ્થિર કરી શકાય.