કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે જણાવ્યું કે આ બેઠકો પર પાંચ ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે મતોની ગણતરી 9 ડિસેમ્બરે થશે. તથા 11 નવેમ્બરથી રાજ્યમાં આદર્શ આચાર સંહિતા પ્રભાવી થશે.
કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયુ
મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે જણાવ્યું કે આ બેઠકો પર પાંચ ડિસેમ્બરે મતદાન
પેટા ચૂંટણીમાં નામાંકન દાખલ કરવાનું કામ 11 નવેમ્બરે શરૂ થશે
નોંધનીય છે કે 17 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવામાં આવ્યા બાદ રાજ્યની 15 બેઠકો પર પેટા ચૂંટણી થઇ રહી છે. કર્ણાટક વિધાનસભા અધ્યક્ષના તત્કાલિન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ફ્લોર ટેસ્ટ વાળા પ્રસ્તાવ પર 29 જુલાઇએ મતદાનથી પહેલા 17 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય કરાર કરાયા હતા.
Sanjeev Kumar, Chief Electoral Officer of Karnataka: Voting to take place on 5 December & counting of votes on 9 December for by-elections to 15 Karnataka Assembly Constituencies. Model Code of Conduct comes into effect from 11 November. pic.twitter.com/xkJY0Os5ws
આ ધારાસભ્યો વિશ્વાસમત દરમિયાન હાજર રહ્યા નહોતા. તેથી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન વાળી સરકાર તુટી પડી હતી. ત્યારબાદ ભાજપનો સત્તામાં આવવાનો રસ્તો ક્લિયર બન્યો હતો. તત્કાલિન વિધાનસભા અધ્યક્ષના નિર્ણયની વિરુદ્ધ આ ધારાસભ્યો 29 જુલાઇએ કોર્ટમાં પડકાર્યો હતો.
Bengaluru: Congress leaders held a meeting at Karnataka Pradesh Congress Committee office, to discuss campaign strategy for upcoming by-polls in the state, today. Party leaders Siddaramaiah, BK Hariprasad, DK Shivakumar & Dinesh Gundu Rao were present in the meeting. #Karnatakapic.twitter.com/p1AuJB4Blb
આ પહેલા આયોગે 21 ઓક્ટોબરે 15 બેઠકો પર પેટા ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટમાં મામલો લંબિત રહેવાને કારણે નિર્ણયને 5 ડિસેમ્બર સુધી ટાળવામાં આવ્યો હતો. એક રિપોર્ટ મુજબ, પેટા ચૂંટણીમાં નામાંકન દાખલ કરવાનું કામ 11 નવેમ્બરે શરૂ થશે અને 18 નવેમ્બરે ખતમ થઇ જશે. જ્યારે રાજ્યમાં પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેંગાલુરુમાં બેઠક થઇ. જેમા ચૂંટણી અભિયાનને લઇને ભાવિ રણનીતિ પર વાતચીત થઇ.