ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેનાં કારણે ચીનમાં કોરોના વાયરસને કારણે મરનારાઓની સંખ્યા વધીને 490 થઈ ગઈ છે. ચીનની આ સ્થિતીને જોઈને ભારતે એર ઈન્ડિયાની 8 ફેબ્રુઆરીથી દિલ્હી હોંગકોંગ ફ્લાઈટ રદ કરી છે.
તમામ એર લાઈન્સ માટે સૂચના પત્ર જાહેર કરવામાં આવ્યો
8 ફેબ્રુઆરીથી તેનું એક પણ વિમાન હોંગકોંગ નહીં જાય
એર ઈન્ડિયાનાં ચેરમેન અશ્વિની લોહાનીએ ટ્ટવીટ કરી કહ્યું હતું કે 7 ફેબ્રુઆરી 2020ની ફ્લાઈટ એ 1314 પછીની એર ઈન્ડિયાની હોંગકોંગ જતી ફ્લાઈટ રદ કરાશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિગો પહેલાથી જ ભારત- ચીની ફ્લાઈટો રદ કરી ચુક્યું છે. એર ઈન્ડિયા શાંઘાઈની ફ્લાઈટો રદ કરી ચુક્યું છે અને દિલ્હી હોંગકોંગ માર્ગ પર વિમાનોની સંખ્યા ઓછી થઈ ગઈ છે ત્યારે 8 ફેબ્રુઆરીથી તેનું એક પણ વિમાન હોંગકોંગ નહીં જાય.
વિઝાને પણ ગેરકાયદેસર જાહેર કર્યાં
કોરોના વાયરસના કહેરને લઈને ભારતે ચીનનાં પ્રવાસીઓને ભારત આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજા દેશની એરલાઈન્સ પણ કોઈ પણ પ્રવાસીઓને ભારત નહીં લાવી શકે. ચીનથી આવનારા પ્રવાસીઓ માટે આપવામાં આવેલા વિઝાને પણ ગેરકાયદેસર જાહેર કર્યાં છે.
નવેસરથી વિઝા માટે અપ્લાય કરવું પડશે
ગૃહમંત્રાલયે કોલકત્તા ઓફિસથી એક પત્ર જાહેર કર્યો છે જેમાં સૂચના આપવામાં આવી છે કે સરકારે તમામ એર લાઈન્સને કહ્યું છે કે તે ચીન કે ચીની અથવા વિદેશી કોઈ પણ નાગરિકોને ભારત ન લઈને આવે. ભલે તેની પાસે વિઝા હોય. આ આદેશ બીજી સૂચના ન મળે ત્યાં સુધી લાગુ રહેશે. ચીનમાં ભારતીય દૂતાવાસે જાહેરાત કરી છે કે અપાઈ ગયેલા તમામ નિયમિત તથા ઈ વિઝા રદ કરી દેવામાં આવ્યાં છે. જેથી નવેસરથી વિઝા માટે અપ્લાય કરવું પડશે. જે લોકો 15 જાન્યુઆરી પછી કાયમી કે ઈ વિઝા પર ભારત ગયા છે તેમને ભારતીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.
કેરળનાં કારણે કર્ણાટકમાં આ નિર્ણય
પડોશી રાજ્ય કેરળમાં કોરોના વાયરસના કેસ દાખલ થતાં કર્ણાટક સરકાર પોતાની સીમા પર નજર રાખી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મંગળવારે 63 એવા લોકોની ઓળખ કરવામાં આવી છે જે કોરોના ગ્રસ્ત દેશોમાંથી આવ્યા છે. 58 લોકોને તેમના ઘરે અલગ અલગ રાખવામાં આવ્યાં છે. જ્યારે 4 લોકો બીજી દેશમાં ચાલ્યાં ગયાં છે. કેરળમાં કોરોનાની વ્યવસાય પર અસર પડી છે. તેનાં ટુરિઝમ તથા હોટેલ બિઝનેસ પર અસર પડી છે.