આ RSS પાસે આટલો દારુ ગોળો અને હથિયાર ક્યાંથી આવ્યાં
રાજરત્ન આંબેડકરના આ વિવાદિત નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો છે
બાબા સાહેબ આંબેડકરનાં પ્રપૌત્રએ કર્ણાટકમાં આપેલા નિવેદને લીધે તેઓ ખૂબ ચર્ચામાં છે. તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. તેમણે RSS પર નિશાનો સાધતા આતંકવાદી સંગઠન કહ્યું છેે.
બાબા સાહેબનાં પ્રપૌત્રએ કહ્યું મારી પાસે પુરાવા છે
બાબા સાહેબ આંબેડકરનાં પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટકમાં તેમણે કહ્યું કે, ‘તમે લોકોએ મારો પાકિસ્તાનનો વીડિયો જોયો હશે. ત્યાં મે કહ્યું હતું કે RSS ઈન્ડિયાનું આતંકવાદી સંગઠન છે. તેના પર પ્રતિબંધ લગાવો. મારી પાસે પુરાવા છે. પીએમ મોદીની બાજુમાં એક સાધ્વી બેઠી છે. તે ઈન્ટર્વ્યુમાં કહી રહી છે કે ઈન્ડિયન આર્મી પાસે જ્યારે દારુ ગોળો પુરો થઈ ગયો, જ્યારે ગન પતી ગયો, જ્યારે તમામ હથિયાર પુરા થઈ ગયાં. ત્યારે RSSએ હથિયાર, બોમ્બ અને દારુ ગોળો ભારતીય સેનાને આપ્યાં. એનો મતલબ RSS પાસે બોમ્બ ક્યાંથી આવ્યાં. જે ઘરમાં દારુ ગોળો મળે તે ઘરના છોકરાને આતંકી નહી કહેવાય? તો જે સંગઠનની પાસે આટલો દારુ ગોળો હોય તે સંગઠનને આતંકવાદી સંગઠન ન કહેવાય?