ગુરુવાર દેશ માટે કમનસીબ સાબિત થઈ રહ્યો છે. 24 કલાકમાં દેશમાં 4 અકસ્માત થયા છે. હાલના અકસ્માતની વાત કરીએ તો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સૈતનપુર વિસ્તારમાં થયો હતો, જ્યાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી. અગાઉ આજના દિવસમાં, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયગઢ અને તામિલનાડુના નેવેલીમાં અકસ્માતો થયા હતા.
ગુરુવારે સવારે વિશાખાપટ્ટનમ ગેસ લીક દુર્ઘટનામાં શરૂ થયેલા અકસ્માતો થોભવાનું નામ નથી લઈ રહ્યા
સાંજે નાસિકમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી.નાસિકની આ ફેક્ટરીમાં લાગેલી આગ એટલી ભયાનક છે કે ફાયર બ્રિગેડના 10 વાહનો તેને કાબૂમાં લેવા સ્થળ પર પહોંચી ગયા છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.
વિશાખાપટ્ટનમ ગેસ લીક થતાં અકસ્માતોની શરૂઆત થઈ હતી
ગુરુવારે આ પહેલા સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક રાસાયણિક કારખાનામાં ગેસ ગળતર (Visakhapatnam Gas Leak Accident) પછી 11 લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ એક હજાર લોકો ગંભીર રીતે બિમાર થયા હતા. આ પછી છત્તીસગઢના રાયગઢમાં એક પેપર મિલમાં ગેસ લિક થવાના કારણે બીમાર પડતાં મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 3 ની હાલત નાજુક છે.
બીજી બાજુ સમાચાર એવા પણ આવ્યા કે તમિલનાડુ ના નેવેલીમાં બોઈલર ફાટતાં સાત લોકો ઘાયલ થયા છે. રાજ્યના કુડ્લોર જિલ્લામાં નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડના એક પ્લાન્ટમાં આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ પ્લાન્ટમાંથી ધુમાડાના વાદળ જોવા મળ્યા હતા. આ ઘટના પછી તરત જ NLC ઈન્ડિયા લિમિટેડની રાહત અને બચાવ કામગીરી પૂરી પાડતી ટીમો આવી ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.