નર્મદા: આગામી 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે દેશ વિદેશના પ્રવાસીઓને આવકારવા માટે રાષ્ટ્રિય એકતા ટ્રસ્ટ અને સરકારે હવે આ દિશામાં વધુ સતર્કતા દાખવી છે. દિલ્હીની પ્રતિષ્ઠીત ટુર્સ ઓપરેટર કંપનીઓએ આજે કેવડિયાની મુલાકાત લીધી હતી.
મહત્વનું છે કે સરદાર પટેલના આ સ્મારકને પ્રવાસીઓ વધુ જૂએ તે માટે અમદાવાદની એક ખાનગી ટુર ઓપરેટર કંપનીને દેશભરના ટુર ઓપરેટર સાથે સંકલન સાધવા માટે કામ સોંપવામાં આવ્યું છે.
જે બાદ દરરોજ દેશના 10 પ્રતિષ્ઠિત ટુર ઓપરેટરને કેવડિયા લાવી સમગ્ર સ્થળની મુલાકાત કરાવાઈ હતી. મુલાકાતે આવેલા ટુર ઓપરેટરોએ પ્રોજ્કેટ અને આજુબાજુના નૈસર્ગિક વાતાવરણને જોઈ ખુશી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ટુર ઓપરેટરે નિર્વિવાદ પણે સ્ટેચ્યુને અદભુત ગણાવી જણાવ્યું હતું. આ સાથે જ વધુમાં કહ્યું કે અત્યારસુધી વિદેશી પ્રવાસીઓ સૌથી વધુ આગ્રા તાજમહેલનો આગ્રહ રાખતા હતા પણ આજે મુલાકાત બાદ લાગી રહ્યું છે કે હવે 31 ઓક્ટોમ્બર બાદ એ વાત ચોક્કસ છે કે હવે પ્રવાસીઓ આગ્રા ભૂલી કેવડિયા પધારશે અને પ્રતિમાને અદભુત અને તેના આનુષંગિક પ્રોજેક્ટો નિહાળી ગદગદિત થયા હતા. ખાસ રાજ્યનું પ્રવાસન વિભાગ અતિગંભીર હોવાની નોંધ પણ લીધી હતી.