ઈકો સેન્સિટિવ ઝોન સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શુલપાણેશ્વર અભિયારણ્ય વિસ્તારમાં લાગુ કર્યું છે, ઈકો સેન્સિટિવ ઝોનમાં નર્મદા જિલ્લાના 121 ગામોનો સમાવેશ થતા ઈકો સેન્સિટિવ ઝોનના નામે ખેડૂતોના હકપત્રક માં કલમ 1075 ની કાચી એન્ટ્રી પાડી 135 ની નોટિસ આપતા આદિવાસીઓમાં વિરોધનો સુર ઉઠ્યા છે.ત્યારે આ વિરોધ હવે ગામજનો નહીં પરંતુ અહીંના નેતાઓ એ પણ વિરોધ ઉઠાવ્યો છે.
ગરુડેશ્વર તાલુકાના 121 હામ માં ઇકો સેન્સેટિવ ઝોન નો સમાવેશ
સરદાર સરોવર નર્મદા ડેમ માટે લીધેલી જમીનનું વળતર પણ બાકી
શું છે ઇકો સેન્સેટિવ ઝોન અને ગામજનોને તેથી શું નુકસાન થાય
નર્મદા જિલ્લા ના 121 ગામો ને ઇકો સેન્સેટિવ ઝોન માં લેવામાં આવતા ગામે ગામ થી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમ માટે લીધેલી જમીનનું વળતર પણ બાકી
ગામ માં ભય નો માહોલ સર્જાયો છે ગામ જનો ના કહેવા મુજબ આજે પહેલા 6 ગામના લોકોની જે સરદાર સરોવર નર્મદા ડેમમાં જમીન સરકારે લઈ લીધી એનું વળતર પણ હજુ સરકારે ચૂકવું નથી અને જે માટે 10 વર્ષથી સરકાર સામે લડી રહ્યા છે આજે આ સરકારે ફરી નવું કરી અમારી આદિવાસીઓની જમીન પડાવી લેવાનો કિસ્સો હાથ ધર્યો છે.
ગરુડેશ્વર તાલુકાના 121 હામ માં ઇકો સેન્સેટિવ ઝોન નો સમાવેશ
હવે અમારા ગરુડેશ્વર તાલુકાના 121 હામ માં ઇકો સેન્સેટિવ ઝોન નો સમાવેશ કરી દેતા અમારા આદિવાસીઓ ના 121 ગામો માં ભય નો માહોલ સર્જાયો છે કે જે અમારા ખેડૂતોના હકપત્રક માં કલમ 1075 ની કાચી એન્ટ્રી પાડી દીધી જેને અમને કહ્યું પણ નથી જેને કારણે અમે હવે આંદોલન કરવા તૈયાર થયા છે ગામજનોનું કહેવું છે કે અમારું બાળપણથી લઈ અમારી આખી જિંદગી અમારા ગામમાં અમે કાઢી હવે આ સરકાર અમને ગામમાંથી બહાર કાઢવા અમારા ગામોને ઇકો સેન્સેટિવ ઝોન સમાવેશ કરી દીધો હવે ગામજનોએ પણ ચીમકી ઉચ્ચારી છેકે જો આ કાયદો રદ નહિ કરે તો અમે આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નો બહિષ્કાર કરીશુ.
શું છે ઇકો સેન્સેટિવ ઝોન અને ગામજનોને તેથી શું નુકસાન થાય
(1) ગામના ખેડૂત કે રહેવાસી ના હકપત્ર માં 1075 ની એન્ટ્રી પડતા હકદાર સહીત ઇકો સેન્સેટિવ ઝોન પણ હકદાર થઇ જાય
(2) સ્થાનિક ને જો પોતાનું ઘર કે ખેતર વેચવું હોઈ તો સરકાર ની પરમિશન લેવી પડે
(3) પોતાની મિલકત ને અન્ય ના નામ પર ન કરી શકે
(4) સરકાર ધારે ત્યારે જે તે મિલ્કત ને માલિક પાસે થી હક લઈ શકે
હાલ આ ઇકો સેન્સેટિવ ઝોન ના કાયદા ને લઇ નર્મદામાં યોજાયેલી ખાસ ગ્રામ સભામાં ગરુડેશ્વરની ગોરા ગ્રામપંચાયત થી લઇ સાગબારાની અમિયારા પંચાયત સુધી મોટાભાગની ગ્રામપંચાયતો એ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરતો ઠરાવ કર્યો ગ્રામસભા લેવા ગયેલા આધિકારીઓ ને કડવા અનુભવો પણ થયા અને ગ્રામસભા અડધી મૂકી જતા રહેવાની પણ ઘટના બની હતી.
એક બાજુ સરકાર એમ કહે છે કે ઈકો સેન્સિટિવ ઝોનથી આદિવાસીઓને કોઈ નુક્શાન નથી તો બીજી બાજુ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને પત્ર લખી રજુઆત કરી છે. મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો શુલપાણેશ્વર અભિયારણ્ય અને ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવું જોઈએ.કોંગ્રેસ, BTP તમામ વિરોધ નોંધાવે છે તો સરકાર ને શુ રસ છે. આ કાયદો લાગુ પાડવામાં એ સમજાતું નથી, આ સાથે કોઈ સરકારની મેલી મુરાદ તો નથી સમાયેલી જેના પર પણ લોકો હાલ શંકા સેવી રહ્યા છે ત્યારે આ કાયદો રાડ થાય તેવી ગામેગામ થી માંગ ઉઠી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડશે અસર
નર્મદા જિલ્લામાં ઈકો સેન્સિટિવ ઝોન અંગે સમજ આપવા માટે 121 ગામોને લાગતી ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભાઓનું 28/12/2020થી 6/1/2021 દરમિયાન આયોજન પણ કર્યું છે.ત્યારે આ ગ્રામ સભાઓમાં આધિકરીઓને રોષ દેખાઈ રહ્યો છે ગામેગામ ઠરાવો થઇ રહ્યા છે. હવે સરકાર આ કાયદો રદ કરે તેમાં ભલાઈ છે નહીતો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.