નર્મદા જિલ્લમાં કોરોનાના કેસ વધવાને કારણે સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યુ છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકવામાં રાખવામાં આવ્યુ છે જ્યાં સ્થાનિકો જ નહીં પણ બહારના લોકોને પણ પ્રવેશ મળી રહ્યો છે.
કોરોનાને લઇ નર્મદા જિલ્લામાં 3 દિવસથી સ્વયંભૂ લોકડાઉન
સ્વયંભૂ લોકડાઉન વચ્ચે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ
કલેક્ટરે ચૌત્રી નવરાત્રી મેળો,મંદિરો બંધ કરાવ્યા પણ SOU ચાલુ
એક તરફ રાજ્યમાં કોરોના વાયરસ વકરી રહ્યો છે. ધાર્મિક અને ફરવા લાયક સ્થળો બંધ કરાઈ રહ્યા છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધ્યું હોવા છતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રખાતા વિવાદ સર્જાયો છે. નર્મદા જિલ્લામાં સંક્રમણ ન વધે તે માટે જિલ્લાના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર ક્યું છે. બીજી તરફ તંત્ર જ બેદરકારી દાખવી રહ્યું છે અને બહારના પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આવકારી રહ્યા છે. જેને લઈને વેપારીઓમાં રોષ ફેલાયો છે.
નર્મદા જિલ્લામાં 3 દિવસથી સ્વયંભૂ લોકડાઉન
કોરોનાને લઇ નર્મદા જિલ્લામાં 3 દિવસથી સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યુ છે. પણ સ્વયંભૂ લોકડાઉન વચ્ચે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ જ છે. કલેક્ટરે ચૈત્રી નવરાત્રી મેળો, મંદિરો બંધ કરાવ્યા પણ SOU ચાલુ રાખવામાં આવ્યુ છે. કોરોનાકાળમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી રખાયુ છે ચાલુ. જિલ્લા કોંગ્રેસ-સ્થાનિકોએ SOU બંધ રાખવા માગ કરી છે. નર્મદા જિલ્લાઓમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યુ છે ત્યારે સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે તંત્ર બહારના લોકોને આવકારી રહ્યું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રખાતા અનેક સવાલો પણ ઉઠ્યા
આ મુદ્દે કોંગ્રેસ અને સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે કે, મહામારીના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે. બીજી તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રખાતા અનેક સવાલો પણ ઉઠ્યા છે. સવલ છે કે, શું સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં તંત્ર બહારના લોકોને આવકારી સંક્રમણ વધારવા માગી રહ્યું છે ? ધાર્મિક સ્થળો બંધ રખાયા તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી શા માટે નહીં ? શું તંત્ર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આવકના કારણે લોકોનો પ્રવેશ બંધ નથી કરી રહ્યું ?
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 7,410 કેસ નોંધાયા છે અને 2642 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,3371 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 73 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4995 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 254 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 39,250 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2491 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1424 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 231 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 317 કેસ, જ્યારે ગ્રામ્યમાં 135 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 551 કેસ અને ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...