બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Naresh Patel's big statement after Hardik's offer to join Congress

BIG NEWS / હાર્દિક દ્વારા કોંગ્રેસમાં જોડાવવાની ઓફર બાદ નરેશ પટેલનું મોટું નિવેદન, રાજકારણમાં હલચલ તેજ

ParthB

Last Updated: 12:17 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલનું રાજકારણાં પ્રવેશવા અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય સમયે રાજકારણમાં જોડાવવા અંગે નિર્ણય કરીશું

  • હાર્દિક પટેલના પત્ર બાબતે નરેશ પટેલનું નિવેદન
  • ખોડલધામ નહીં બને રાજકીય પ્લેટફોર્મ
  • રાજકરણ નરેશ પટેલનો અંગત નિર્ણય હશે

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવી ગુજરાતના રાજકારણાં ભારે હલચલ મચાવી દીધી હતી. જો કે, હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલનું આ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારે રાજકીય પ્લેટફોર્મ નહીં બને, રાજકારણમાં પ્રવેશનો મારો અંગત નિર્ણય રહેશે.

હાર્દિક પટેલ ના પત્ર બાબતે નરેશ પટેલનું નિવેદન

જો કે, હાર્દિક પટેલ ના પત્ર બાબતે નરેશ પટેલનું મોટું નિવેદન આપતાં જણાવ્યું કે, હાર્દિકે લખેલા પત્રની જાણ મને હજુ હમણાં જ થઈ છે. મેં પત્ર હમણાં જ વાંચ્યો છે. હાર્દિક સાથે વાત કરવાની બાકી પત્રનું માધ્યમ મને ખબર નથી. આ અંગે વાત થાય પછી જ કંઈ કહી શકાય. જો કે નરેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને. તેમણે તે પણ જણાવ્યું હતું કે,  રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. અને યોગ્ય સમયે રાજકારણમાં જોડાવવા અંગે નિર્ણય કરીશું

હાર્દિક પટેલના પત્રમાં શું છે?

ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન અને પાટીદારોના અગ્રણી નેતા નરેશ પટેલેને પત્ર લખીને રાજકારણમાં જોડાવવાની અપીલ કરતાં સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, નરેશ પટેલને પાટીદાર સમાજના માર્ગદર્શક બનીને રાજકારણમાં આવવું જરૂરી છે. હાલ પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.હાર્દિકે જણાવ્યું હતું કે,રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ માટે શ્રીગણેશ કરવાનો સમય આવી ગયો છે. હાર્દિકે પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક પક્ષનું શાસન છે.શાસક પક્ષની તાનાશાહીથી ગુજરાતીઓને  અન્યાય થાય છે. પાટીદાર સમાજના યુવાનો પણ સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે. જેને લઈને ભાજપ સામે રાજકારણમાં ઉતરવા હાર્દિકે નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ