પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ સીટની સુનાવણી 15 નવેમ્બર સુધી લંબાવામાં આવી છે. જેથી 5 નવેમ્બર પહેલા જો હવે પેટાચૂંટણી નહી થાય તો મમતા બેનર્જીને રાજીનામું આપવું પડશે.
નંદીગ્રામ સીટની સુનાવણી 15 નવેમ્બર સુધી લંબાવાઈ
મમતા બેનર્જી માટે હવે પેટાચૂંટણી જરૂરી
નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીની હાર્યા હતા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી હાર્યા હતા. જેને લઈને તેમણે હાઈકોર્ટમાં પડાકર આપ્યો હતો. હાઈકોર્ટમાં આજે આ મામલે સુનાવણી થવાની હતી પરંતુ હવે આ સુનાવણીને 15 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. જેથી હવે મુખ્યમંત્રી પદ પર રહેવા માટે મમતા બેનર્જીને બીજી સીટ પર જીતવું પડશે.
5 નવેમ્બર પહેલા વિધાનસભા સદસ્ય બનવું પડશે
આ મામલે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ચુનાવ આયોગને વાંરવાર અપીલ કરવામાં આવી રહી છે કે જે સીટો ખાલી પડી છે. ત્યા ફરીથી પેટાચૂંટણી કરવામાં આવે. મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામ સીટ પર હાર્યા છે. જેથી તેમને મુખ્યમંત્રી બની રહેવા માટે 5 નવેમ્બર પહેલા વિધાનસભા સદસ્ય બનવું પડશે.
પેટાચૂંટણી રદ થશે તો મમતા બેનર્જીને રાજીનામું આપવું પડશે
તૃણમૂલ કોંગ્રેસને એ વાતનો ડર છે કે જો કોરોનાને કારણે પેટા ચૂંટણી રદ કરવામાં આવી તો મમતા બેનર્જીને રાજીનામું આપવું પડશે. વિધાનસભા ચૂંટણી પછી ટીએમસીના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે તેમની સીટ જીત્યા પછી પણ છોડી દીધી છે. જેથી મમતા બેનર્જી ત્યાથી લડી શકે. તે સીટ પર મમતા બેનર્જી 2 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.
નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીની હાર
આ વખતે મમતા બેનર્જી તેમના પ્રતિસ્પર્ધીની સામે ઉભા રહીને નંદીગ્રામ સીટ પર લડ્યા હતા. જેમા તેઓ નંદીગ્રામની સીટ હાર્યા છે. પરંતુ મમતા બેનર્જીએ એવું કહ્યું છે કે આ પરિણામ ખોટું છે. સાથેજ તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના દબાવમાં આવીને પ્રશાસન દ્વારા ખોટુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ફરી મતગણતરીની માગ રદ થઈ હતી
નંદીગ્રામની ચૂંટણીના પરિણામ મામલે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી 14 જુલાઈએ તેમને અને તેમના પ્રતિસ્પર્ધીને હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે મમતા બેનર્જી 32 વર્ષમાં પહેલી વખત હાર્યા છે. પરિણામ જાહેર થયા બાદ ટીએમસી દ્વારા એક વખત ફરી મત ગણતરી કરવાની માગ કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પંચ દ્વારા તે માગ સ્વીકારવામાં નહોતી આવી.
કોઈ એક સીટ પર જીતવું જરૂરી
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર, દિનહાટા, સાંતિપુર, સમસેર ગંજ અને જંગીપુર વિધાનસભા સીટો પર વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. જે પૈકી કોઈ એક સીટ પરથી મમતા બેનર્જીએ જીતવું પડશે.