શ્રાવણ માસના શુક્લ પક્ષની પાચમે નાગ પંચમીનો તહેવાર આવે છે. આ દિવસે ભગવાન શિવના આભૂષણથી નાગ દેવની પૂજા કરવામાં આવે છે.
શ્રાવણના શુક્લ પક્ષે આવે છે નાગ પંચમી
વર્ષમાં માત્ર 24 કલાક માટે ખૂલે છે મંદિરના કપાટ
વિશ્વમાં ક્યાંય નથી શિવની આવી મૂર્તિ
શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમે નાગ પંચમીનો તહેવાર આવે છે. નાગ પંચમીના દિવસે સ્ત્રીઓ નાગ દેવતાની પૂજા કરે છે અને સાંપને દૂધ પીવડાવે છે. સનાતન ધર્મમાં સાંપને પુજનીય માનવામાં આવે છે. નાગ પંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે અને તેમને ગાયના દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે જે લોકો નાગ પંચમીના દિવસે નાગ દેવતાની સાથે ભગવાન શિવની પૂજા અને રૂદ્રાભિષેક કરે છે. તેમના જીવનથી કાલસર્પ દોષ ખતમ થઈ જાય છે. સાથે જ રાહુ અને કેતુની અશુભતા પણ દૂર થઈ જાય છે.
મહાકાલની નગરી ઉજ્જૈનને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. આ શહેરની દરેક ગલીમાં એક મંદિર જરૂર છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના ત્રીજા ભાગમાં નાગચંદ્રેશ્વર મંદિર છે. નાગચંદ્રેશ્વર મંદિરનું પોતાનું મહત્વ છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે મંદિરના કપાટ વર્ષમાં ફક્ત એક વખત નાગ પંચમીના દિવસે 24 કલાક માટે જ ખુલે છે.
નેપાળથી લાવવામાં આવી પ્રતિમા
ભગવાન નાગચંદ્રેશ્વરની મૂર્તિ ખૂબ જ જુની છે અને તેને નેપાળથી લાવવામાં આવી હતી. નાગચંદ્રેશ્વર મંદિરમાં જે અદ્ભૂત પ્રતિમા બિરાજમાન છે તેના વિશે કહેવામાં આવે છે કે આ 11મી શતાબ્દીની છે. આ પ્રતિમામાં શિવ-પાર્વતી પોતાના સંપૂર્ણ પરિવારની સાથે આસન પર બેઠા છે અને તેમના ઉપર સાંપ ફન ફેલાવીને બેઠો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રતિમાને નેપાળથી લાવવામાં આવી હતી. ઉજ્જૈન ઉપરાંત ક્યાંય આવી પ્રતીમા નથી. આ દુનિયાભરનું એકમાત્ર મંદિર છે જેમાં ભગવાન શિવ પોતાના પરિવારની સાથે સાંપોની શય્યા પર બિરાજમાન છે.
ત્રિકાળ પૂજાની પરંપરા
માન્યતાઓ અનુસાર ભગવાન નાગચંદ્રેશ્વરની ત્રિકાળ પૂજાની પરંપરા છે. ત્રિકાળ પૂજાનો મતલબ ત્રણ અલગ અલગ સમય પર પૂજા. પહેલી પૂજા મધ્યરાત્રીમાં મહાનિર્વાણી થાય છે. બીજી પૂજા નાગપંચમીના દિવસે બપોરે શાસન દ્વારા કરવામાં આવે છે અને ત્રીજી પૂજા નાગપંચમીની સાંજે ભગવાન મહાકાલની પૂજા બાદ મંદિર સમિતિ કરે છે. તે ઉપરાંત રાત્રે 12 વાગ્યે ફરીથી એક વખત એક વર્ષ માટે બંધ થઈ જશે.
પૌરાણિક કથા
માન્યતા અનુસાર સાંપને રાજા તક્ષકે ભગવાન શિવને મનાવવા માટે તપસ્યા કરી હતી જેનાથી ભોલેનાથ પ્રસન્ન થયા અને સર્પોના રાજા તક્ષક નાગને અમરત્વનું વરદાન આપ્યું. વરદાન બાદ તક્ષક રાજાએ પ્રભૂના સાન્નિધ્યમાં જ વાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ મહાકાલ વનમાં વાસ કરવા પહેલા તેમની એ ઈચ્છા હતી કે તમના એકાંતમાં વિધ્ન ન હોય. માટે એવી જ પ્રથા ચાલતી આવે છે કે ફક્ત નાગપંચમીના દિવસે જ તેમના દર્શન થાય છે. બાકી સમય પરંપરાને અનુસાર મંદિર બંધ રહે છે.