ગાંધીનગરઃ ગુજરાતમાં મગફળીકાંડ થયા બાદ હવે નાફેડની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે નાફેડ દ્વારા મગફળી ખરીદીથી દૂર રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે નાફેડ અને સરકાર વચ્ચે આજે બેઠક યોજાઇ હતી.
નાફેડના M.D. સંજીવ ચઢ્ઢા ગુજરાતમાં
નાફેડે મગફળી ખરીદવા માટે ઈનકાર કરવાના મામલે આજે નાફેડના એમ.ડી. અને અન્ય અધિકારીઓ તથા રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. નાફેડના એમ.ડી. સંજીવ ચઠ્ઠા આજે ગુજરાતમાં આવ્યા અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મગફળીની ખરીદી વગેરેને લઈને અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
મગફળી ખરીદી મુદ્દે નાફેડના વાઇસ ચેરમેનના સવાલો ઉઠાવ્યા હતા
વાઇસ ચેરમેન દિલિપ સંધાણીએ સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે હું કૃષિ વિભાગમાં હતો ત્યારે આવી અવ્યવસ્થા ન હતી. સંધાણીએ વર્તમાન કૃષિ મંત્રી અને સરકારને કઠગરામાં લીધી હતી. પુર્વ કૃષિ મંત્રીના નિવેદનથી ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. અનુભવ વગરના લોકો મગફળીની ખરીદી કરી રહ્યા છે. દર વખતે ગુજકોમાલોસને ખરીદી કરતું હોય છે. ગુજકોમાસોલ પાસે વર્ષેનો અનુભવ અને પુરતો સ્ટાફ છે. ખરીદીમાં રાજ્ય સરકારનો સહયોગ નથી.
નાફેડ દ્વારા રાજ્યમાં મગફળીની ખરીદીના ઇન્કાર કરવાના મામલે વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યુ હતું કે નાફેડના અધિકારીઓ દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં સ્ટેટ માર્કેટિંગ ફીડરેશન દ્વારા ખરીદીની માગ કરાઈ છે.
સાથે જ તેમણે જણાવ્યુ કે નાફેડ દર વર્ષે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખરીદી કરે છે. પરંતુ ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવતા આ ગોટાળા થયા હતા. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો ભંગ થતા દિલીપ સાંઘાણીએ પત્ર લખ્યો છે. સાથે જ તેમણે જણાવ્યુ કે નાફેડની સંસ્થાઓના મારફતે ખરીદી થશે તો જ નાફેડ ખરીદી કરશે.
ખરીદીમાં નાફેડને સાથ સહકાર આપવા કર્યો અનુરોધઃ CM
મગફળીની ખરીદી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે નાફેડ ખેડૂતોનુ હિત વિચારવાનો વિચાર કરે છે. ગત વર્ષે ખરીદીમાં ગોટાળા થયાની સીએમ રૂપાણીએ કબુલાત પણ કરી હતી. આ વર્ષે મગફળીની ખરીદીમાં ગોટાળા નહીં થાય તેવુ પણ જણાવ્યુ હતું. સાથે જ તેમણે ખરીદીમાં નાફેડને સાથ સહકાર આપવા માટે અનુરોધ પણ કર્યો હતો.