પંજાબના અજનાલાના એક કુવામાંથી મોટાપાયે મળેલા માનવ હાડપિંજરનુ રહસ્ય ઉકેલાઈ ગયુ છે.
પંજાબના અજનાલાના એક કુવામાંથી માનવ હાડપિંજર મળ્યું
માનવ હાડપિંજરનુ 160 વર્ષ જૂનુ રહસ્ય ઉકેલાયુ
આ હાડપિંજર શહીદ ભારતીય સૈનિકોના છે
ઈતિહાસકારોએ કહી હતી આ વાત
સેન્ટર ફૉર સેલ્યુલર એન્ડ મૉલિક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ પંજાબ વિશ્વ વિદ્યાલય, બીરબલ સાહની સંસ્થા અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના અન્ય સંશોધનકારોની સાથે પોતાના રિસર્ચમાં આ સામે આવ્યું છે કે અજનાલામાં હત્યાકાંડ થયો હતો. અને ભારતીય જવાનોને મારીને તેની લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ અજનાલાના જૂના કુવામાંથી નિકળેલા અવશેષોના ડીએનએ અને આઈસોટોપ એનાલિસિસ બાદ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે 160 વર્ષ જૂના હાડપિંજર ગંગા કિનારે રહેતા લોકોના છે. ઘણા ઈતિહાસકાર માની રહ્યાં છે કે આ હાડપિંજર ભારત-પાકિસ્તાનના ભાગલા દરમ્યાન રમખાણમાં માર્યા ગયેલા લોકોના હતા. જ્યારે અમુક ઐતિહાસિક દસ્તાવેજોમાં આ વાતનો ઉલ્લેખ છે કે આ હાડપિંજર શહીદ ભારતીય સૈનિકોના છે. જેણે 1857માં બ્રિટિશ સરકાર સામે વિદ્રોહ કર્યો હતો.
2014માં કાઢવામાં આવ્યાં હતા હાડપિંજર
જો કે, વૈજ્ઞાનિક પ્રમાણોની કમીને કારણે આ સૈનિકોની ઓળખ અને ભૌગોલિક ઉત્પત્તિ પર લાંબી ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે ઘણુ બધુ સ્પષ્ટ થઇ ગયુ છે. મહત્વનું છે કે પંજાબના અજનાલાના એક કુવામાંથી માણસના હાડપિંજરના અવશેષો 2014માં નિકાળવામાં આવ્યાં હતા. આ હાડપિંજરની વાસ્તવિકતાની જાણકારી મેળવવા માટે પંજાબ વિશ્વ વિદ્યાલયના ડૉ. જેએસ સેહરાવતે સેન્ટર ફૉર સેલ્યુલર એન્ડ મૉલિક્યુલર બાયોલોજી હૈદ્રાબાદ, બીરબલ સાહની ઈન્સ્ટીટ્યુટ, લખનઉ અને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોની સાથે મળીને અવશેષોના ડીએનએ અને આઈસોટોપ અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં હાડકા, ખોપડી અને દાંતના ડીએનએ ટેસ્ટ પરથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે મોતને ભેટનારા બધા ઉત્તર ભારતના છે.
આ રીતે સામે આવી વાસ્તવિકતા
સંશોધનમાં 50 સેમ્પલ ડીએનએ અને 85 સેમ્પલ આઈસોટોપ એનાલિસિસના ઉપયોગ માટે કરવામાં આવ્યાં. ડીએનએ વિશ્લેષણથી લોકોના આનુવંશિક સંબંધને સમજવામાં મદદ મળે છે અને આઇસોટોપ એનાલિસિસ ભોજનની આદતો પર પ્રકાશ પાડે છે.