આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન આવું નિવેદન આપ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે માત્ર રાજનીતિ કરવા માટે થઈ આ કાયદાને ધર્મ સાથે જોડી સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે.
આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં આપ્યું નિવેદન
CAA અને NRC ભારતના નાગરિકોના વિરુદ્ધમાં
આપણે દેશે બીજા દેશ કરતાં ઘણી નીતિઓ લાગુ કરી છે
આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં આપ્યું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હાલમાં જ કહ્યું હતું કે દરેક ભારતીયોના DNA એક જ છે. આ નિવેદન બાદ આજે આસામમાં આરએસએસ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે CAAથી કોઈ પણ મુસલમાનને કોઈ પણ સમસ્યા થશે નહીં. CAA અને NRCથી મુસલમાનને કોઈ લેવા દેવા નથી. આસામના ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન આવું નિવેદન આપ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે માત્ર રાજનીતિ કરવા માટે થઈ આ કાયદાને ધર્મ સાથે જોડી સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે.
CAA અને NRC ભારતના નાગરિકોના વિરુદ્ધમાં નથી
વધુમાં તેમણે કહ્યું કે CAA અને NRC ભારતના કોઈ નાગરિકોની વિરુદ્ધમાં નથી, આસામના ગુવાહાટીમાં તેમણે આ વાત કહેતા કહ્યું કે CAAથી ભારતીય મુસ્લિમોને કોઈ પણ પ્રકારનું નુક્સાન નહીં થાય. મોહન ભાગવતએ આગળ કહ્યું કે ભારતનો ઇતિહાસ 4000 વર્ષોથી ચાલતો આવે છે, વિભાજન પછી આશ્વાસન અપાયું હતું કે લઘુમતિઓનું ધ્યાન રાખીશું, આપણે તેનું પાલન કરી રહ્યા છીએ, બધા સાથે મળીને અને એકદમ શાંતિથી રહીએ છીએ." સાથે જ તેમણે ઉમેર્યું કે "પાકિસ્તાન આપણી સાથે વિશ્વાસનું ઉલ્લંઘન કરી રહ્યું છે "
આપણે દેશે બીજા દેશ કરતાં ઘણી નીતિઓ લાગુ કરી છે
આગળ મોહન ભાગવત બોલ્યા કે "આપણે વિશ્વ પાસેથી ધર્મનિરપેક્ષતા, સમાજવાદ, ધર્મતંત્ર શીખવાની નથી જરૂર કારણકે ધર્મનિરપેક્ષતા, સમાજવાદ, ધર્મતંત્ર આપણી પરંપરાઓમાં છે આપણા દેશે બધી જ વસ્તુ લાગી કરી છે અને તેને જીવીત રાખી છે. માત્ર રાજનીતિ કરવા માટે થઈ આ કાયદાને ધર્મ સાથે જોડી સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે.