ગનાનેંદ્ર પ્રસાદ સરલિંગમપલ્લી મતવિસ્તારમાંથી પાર્ટીની રાજ્ય કારોબારી સમિતિના સભ્ય હતા. તેમના અંગત મદદનીશએ તેમને પેન્ટહાઉસના એક રૂમમાં પંખાથી લટકેલા જોયા હોવાનું ખૂલ્યું
તેલંગાણામાં બીજેપી નેતાનો તેમના જ ઘરે મૃતદેહ મળ્યો
નેતાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા
સરલિંગમપલ્લી મતવિસ્તારમાંથી પાર્ટીની રાજ્ય કારોબારી સમિતિના સભ્ય હતા ગનાનેંદ્ર પ્રસાદ
તેલંગાણામાં બીજેપી નેતા ગનાનેંદ્ર પ્રસાદ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે કહ્યું, 'અમને સોમવારે તેના ઘરેથી આત્મહત્યાની માહિતી મળી. ગનાનેંદ્ર પ્રસાદે પંખાની મદદથી ફાંસી લગાવી લીધી હતી. આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું ન હોઇ આ મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ANI ન્યૂઝ એજન્સી અનુસાર પોલીસે જણાવ્યું કે, ગનાનેંદ્રપ્રસાદ સરલિંગમપલ્લી મતવિસ્તારમાંથી પાર્ટીની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય હતા. તેમના અંગત મદદનીશએ તેમને પેન્ટહાઉસના એક રૂમમાં પંખાથી લટકેલા જોયા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, તેમને મૃત નેતાની કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, ભાજપના નેતાને અકસ્માત થયો હતો અને તેના પગમાં ફ્રેક્ચર થયું હતું.
Telangana | BJP leader Gnanendra Prasad found dead at his residence y'day morning in Miyapur PS limits. Police say, "We received info of suicide & found him hanging from a ceiling fan; identified him as Gnanendra Prasad. Reason for suicide is not known. Case registered, probe on"
સમગ્ર મામલે પીએએ પોલીસને જણાવ્યું કે, સોમવારે સવારે ગનાનેંદ્ર પ્રસાદે તેમના પીએને કહ્યું કે, તેઓ ઊંઘી રહ્યા હોવાથી તેમને ખલેલ પહોંચાડશો નહીં. બાદમાં જ્યારે પીએ નાસ્તો આપવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. આ પછી પીએએ બારીનો કાચ તોડ્યો તો તેણે ગનાનેંદ્ર પ્રસાદ રૂમમાં પંખાથી લટકેલા જોયા. સંબંધીઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.