લગ્ન પહેલા લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા યુવક-યુવતી, યુવતીના પરિવારે યુવકને પંચની સામે જ ઢોર માર મારતા તરફડીને યુવકનું મોત
વલસાડના આસલોના ગામે યુવકની હત્યા
યુવતીના પરિવારજનોએ માર્યો ઢોર માર
લીવ ઈન રિલેશનમાં રહેતા હતા યુવક-યુવતી
ફરી એક વખત પ્રેમનું ગળું ઘૂંટાયું છે, ફરી એક વખત પ્રેમ રક્તરંજિત થયો છે.વલસાડના આસલોના ગામમાં પણ કઈક આવું જ બન્યું. યુવક યુવતીના પ્રેમ સંબંધનો કરુંણ અંજામ આવ્યો છે. સમાધાન માટે બેઠેલા બંને પરિવારો વચ્ચે પંચ સામે જ બબાલ થતાં યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
પહેલા લીવ-ઈનમાં રહ્યાં બાદ સગાઈ કરી પછી યુવકે યુવતી સાથે પ્રેમ સંબંધ પૂરો કર્યો
સંજય અને યુવતી વચ્ચેની બબાલના પારિવારિક વિવાદના સમાધાન માટે મળેલા સમાજના પંચ બોલાવવામાં આવી હતી. લીવ-ઈનમાં રહ્યાં બાદ પણ યુવકે યુવતી સાથે સગાઈ તોડી અને લગ્નની ના પાડતાં બંને પરિવારો વચ્ચે બબાલ થઈ હતી ..આથી પારિવારિક વિવાદ ના સમાધાન માટે આ વિસ્તારની પરંપરા મુજબ સમાજનું એક પંચ બેઠું હતું ..આ પંચમા સંજય ભૂસારા અને યુવતીના પારિવારિક વિવાદ ઉકેલવા માટે સમાજના આગેવાનો દ્વારા બન્ને પક્ષોને સમજાવવાના પ્રયાસ થઇ રહ્યા હતા..તેમ છતાં પણ સંજય ભુસારાએ યુવતી સાથે સગાઈ તોડી અને લગ્ન કરવાની ના પાડતાં યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા.. અને વિવાદના સમાધાન માટે બેસેલા પંચની સામે જ પંચની હાજરીમાં યુવતીના પરિવારજનોએ સંજય ભુસારાને ઢોર માર માર્યો હતો. જેના કારણે સંજય ભુંસારા શરીરમાં આંતરિક ભાગોમાં ઇજા થઇ હતી..અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. આમ યુવતીના પરિવારજનોના માર મારવાથી ઈજાગ્રસ્ત થયેલા સંજયને ધરમપુર વલસાડ અને ખેરગામની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.. તેમ છતાં 12 દિવસની સારવાર બાદ પણ કમનસીબે સંજય નુ મોત નિપજ્યું હતું. આથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવતા તેના જ પરિવારના તેના પિતા સહિત તેના જ પરિવારના સાત સભ્યોની કપરાડા પોલીસે ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા
સમગ્ર મામલે સમાધાન પંચ પણ સવાલો ઉઠી રહ્યા છે અને સમગ્ર ઘટનામાં પંચના સભ્યોની સંડોવણી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો પોલીસે યુવતીના પરિવારના 7 સભ્યોની ફરિયાદને આધારે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મૃતક યુવકના પરિવારજનો કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.