બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Murder committed in an immoral relationship in Ahmedabad

પર્દાફાશ / અમદાવાદમાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો આવ્યો એવો અંજામ, જાણીને રૂવાંટા ઉભા થઈ જશે, જાણો સમગ્ર કિસ્સો

Kiran

Last Updated: 06:22 PM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, હત્યા કેસમાં ફરાર હોમગાર્ડ જવાનની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

  • ત્રિકોણીય પ્રેમ સંબંધનો આવ્યો એવો અંજામ
  • રિવરફ્રન્ટ પર મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
  • હત્યા કેસમાં ફરાર હોમગાર્ડ જવાનની ધરપકડ

અમદાવાદમાં અનૈતિક સંબંધમી આડમાં પ્રેમિકાની નિર્મમ હત્યા કરી દેવાની ઘટના સામે આવી હતી. બે માસ પહેલા રિવરફ્રન્ટમાં હત્યા કરાયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. 


ત્રિકોણીય પ્રેમ સંબંધનો આવ્યો એવો અંજામ

આરોપી હિતેષ શ્રીમાણીએ પોતાની પ્રેમિકા મનીષા ચૌધરીને એક્ટિવા પર રીવરફ્રન્ટ ફરવા જવાનું કહીને પથ્થરથી માથું છુદીને હત્યા કરી દીધી હતી બાદમાં તેનો મૃતદેહ રિવરફ્રન્ટમાં ફેંકી દીધો હતો. પ્રેમિકા નીષા ચૌધરી સાથે સબંધ રાખવા દબાણ કરતી હોવાનો અને જો સંબંધ નહિ રાખે તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરતી હતી. જેથી કંટાળીને આરોપીએ પ્રેમિકાનો કાસળ કાઢવાનું ષડ્યંત્ર રચ્યું હતું


રિવરફ્રન્ટ પર મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

આ પકડાયેલો આરોપી હિતેષ શ્રીમાણી હોમગાર્ડમાં ફરજ બજાવે છે અને છેલ્લા 5 વર્ષથી મનિષા સાથે તેને પ્રેમ સબંધ ચાલતો હતો. હિતેષ શ્રીમાણી પરણિત હોવા છતાં મનીષા સાથે સંબંધ રાખતો હોવાની જાણ તેની પત્નીને થતા હિતેષની પત્ની અને મનીષા વચ્ચે ઝઘડા પણ ચાલતા હતા. આ દરમિયાન હિતેષને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ શરૂ કરતા જેની જાણ મનીષાને થઈ હતી જે બાદ બંને વચ્ચે ઉગ્ર તકરાર પણ થઈ હતી. પરતું મનીષાએ હિતેષને ધમકી આપતા તેની હત્યા કરી નાખી હતી. જોકે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બોટાદમાં પણ હત્યાનો ભેદ ઉકેલાયો 

આ તરફ બોટાદમાં પણ હત્યાનો ભેદ ઉકેલાયો હતો, બોટાદના વહિયા ગામે પણ પ્રેમ સંબંધનો વહેમ રાખીને હત્યા કરી દેવાઈ હતી. પત્ની સાથે આડાસંબંધના વહેમ રાખીને હેર સલુનમાં બેઠેલા યુવકની પતિએ કાતરના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી, જો કે સમગ્ર ઘટનાની જાણ બાદ આરોપી રણજીત ડાબસરાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ