મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધવા પાછળ ટ્રેન સેવાને માનવામાં આવી રહ્યું છે.
આંકડા વધવાનું એક કારણ લોકલ રેલ સેવા?
જાણવામાં 3 અઠવાડિયા લાગશે કે ટ્રેનના કારણે કેસ વધ્યા છે કે નહીં.
રેલ અધિકારીઓ સાવધાનિઓનું પાલન કરવાની વાત કહી રહ્યા છે
આ અંગે સરકારે કોઈ આદેશ જારી નથી કર્યો
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જાણકારો તેની પાછળનું મોટુ કારણ મુંબઈમાં લોકલ ટ્રેન સેવાને શરુ થવાને જણાવી રહ્યા છે. જો કે રેલ સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે કોવિડના નિયમોનું પુરી રીતે પાલન કરી રહ્યા છીએ. ત્યારે બીએમસીના ડેટા પણ આંકડા વધવાનું એક કારણ લોકલ રેલ સેવાને ગણાવી રહ્યા છે. જો કે આ અંગે સરકારે કોઈ આદેશ જારી નથી કર્યો.
જાણવામાં 3 અઠવાડિયા લાગશે કે ટ્રેનના કારણે કેસ વધ્યા છે કે નહીં
નગર આયુક્ત ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે લોકલ ટ્રેન શરુ થયા બાદ જારી લોકોની ગતિવિધીઓ મામલા વધવાનું કારણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે મારા અનુમાનોમાંથી એક મુંબઈની લોકલ ટ્રેન છે. જેમાં 50 લાખ લોકો રોજ મુસાફરી કરે છે. જે ગત માર્ચથી લઈને 31 જાન્યુઆરી સુધી બંધ હતી. તેમણે જણાવ્યું કે અમે ફક્ત 1 ફેબ્રુઆરીથી રેલમાં મુસાફરી કરવાની પરવાનગી આપી છે. હું એમ કહી રહ્યો છું કે એ જાણવામાં 3 અઠવાડિયા લાગશે કે ટ્રેનના કારણે કેસ વધ્યા છે કે નહીં.
રેલ અધિકારીઓએ સાવધાનિઓનું પાલન કરવાની વાત કહી રહ્યા છે
ચહલે કહ્યું કે અમે હવે 1 ફેબ્રુઆરીથી ઠીક 3 અઠવાડીયા આગળ આવી ચૂક્યા છીએ અને કેટલાક મામલા કોવિડના સમયમાં મોટી ગતિવિધિઓના કારણે થઈ શકે છે. આયુક્તે આ વાતો એક ટીવી ઈન્ટર્વ્યૂહ દરમિયાન કરી છે. ત્યારે રેલ અધિકારીઓ સાવધાનિઓનું પાલન કરવાની વાત કહી રહ્યા છે. પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે કહ્યું અમે તમામ સાવધાનિયો વર્તી છે અને પશ્ચિમ રેલવે કોવિડ 19ના પ્રસારની તપાસ કરવા માટે જરુરી પગલા ભરી રહ્યા છે.
બીએમસી ડેટા અનુસાર 1 ફેબ્રુઆરી સુધી રોજ મળી રહેલા મામલાની સંખ્યામાં સતત વધારો
તેમણે કહ્યું કે અમે સતત ટ્રેન રેકને સેનેટાઈઝ કરી રહ્યા છીએ અને અમારી પાસે આ કામ માટે અલગ અલગ ટીમ છે. પ્રવાસીઓની સુવિધા માટે અમે 300થી વધારે બુકિંગ કાઉન્ટર ખોલી દીધા છે. ઠાકુરે જાણકારી આપી કે હાલમાં 1300 સેવાઓ જારી છે અને રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશોનું પુરી રીતે પાલન કરી રહ્યા છીએ. બીએમસી ડેટા અનુસાર 1 ફેબ્રુઆરી સુધી રોજ મળી રહેલા મામલાની સંખ્યા 400ની અંદર હતી. પરંતુ પહેલા અઠવાડિયાના અંતે આ આંકડો 500 ને પાર થઈ ગયો છે.
રેલ સેવાઓનો લગભગ 22 લાખ પ્રવાસીઓ ઉપયોગ કરી ચૂક્યા છે
ખાસ વાત એ છે કે નગર પ્રશાસન કોવિડ 19ના નિયમોના ઉલંઘન કરનારાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર પરિસ્થિત પર નજર રાખી રહી છે અને મામલાના વધવાની સ્થિતિમાં આવનાર 8 દિવસોમાં અનેક મોટા નિર્ણયો લઈ શકે છે. અત્યાર સુધી લગભગ 95 ટકા સેવાઓ શરુ થઈ ચૂકી છે. ત્યારે આ સેવાઓનો લગભગ 22 લાખ પ્રવાસીઓ ઉપયોગ કરી ચૂક્યા છે.